વિવિધ પાર્ટીઓના 8 સાંસદોને PM મોદીએ લંચ માટે બોલાવ્યા, કહ્યું 'તમને પનિશમેન્ટ આપવી છે'


  • Published By :
  • Published Date : 2024-02-09 19:25:21

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંસદની કેન્ટીનમાં વિવિધ પક્ષોના સાંસદો સાથે લંચ લીધું હતું. સમાચાર એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સાંસદોની સંખ્યા 8 હતી. PM નરેન્દ્ર મોદીએ પોતે જ આ સાંસદોને લંચ માટે આમંત્રણ આપ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી સાથે લંચ લેનારા સાંસદોમાં BJPના હીના ગાવિત, એસ. ફાંગનોન કોન્યાક, જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ, એલ. મુરુગન, TDPના સાંસદ રામમોહન નાયડુ, BSPના સાંસદ રિતેશ પાંડે અને BJD સાંસદ સસ્મિત પાત્રાનો સમાવેશ થાય છે.


PM મોદીએ શું ભોજન લીધું?


મળતી જાણકારી મુજબ, PM મોદીએ 8 સાંસદોને અનૌપચારિક લંચ માટે બપોરે 2.30 વાગ્યા ફોન કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું છે કે, પીએમ મોદી અને સાંસદોએ કેન્ટીનમાં શાકાહારી ભોજન અને રાગીના લાડવા ખાધા હતા. ભોજન દરમ્યાન પાસ્તા, ખિચડી, દાળ, ભાત, શાક, રાયતા, પાપડ અને સલાડ હતા. તમામના ખાવાનું બિલ પીએમ મોદીએ આપ્યું હતું. પીએમ આ બધા સાથે લગભગ 45 મિનિટમાં કેન્ટીનમાં રહ્યા હતા.


PM મોદી સાથે શું ચર્ચા થઈ? 


PM મોદીએ સાંસદો હળવા અંદાજમાં કહ્યું કે, આજે આપ સૌને સજા આપવા જઈ રહ્યો છું. મારી સાથે આવો, બાદમાં પીએમ મોદી બધાને કેન્ટીનમાં લઈ ગયા, જ્યાં પીએમના અનુભવો વિશે હળવી વાતો થઈ. સાંસદોએ પીએમ મોદીને સવાલ પૂછ્યા. રાજનીતિ પર કેટલીય નવી વાતો થઈ. પીએમ મોદીની લાઈફસ્ટાઈલ, ક્યારે ઉઠે છે, ક્યારે સુવે છે વગેરે સવાલો સાંસદોએ પૂછ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ રાતમાં ફક્ત સાડા ત્રણ કલાક જ સુવે છે અને સૂર્યાસ્ત બાદ કંઈ ખાતા નથી. PM મોદીએ ભોજન દરમ્યાન વ્હાઈટ પેપરના મુદ્દા પર પણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે, વ્હાઈટ પેપર લાવવા પાછળનું કારણ જ્યારે મને લાગ્યું કે, આ રીતનું કરપ્શન થયું છે. યૂપીએ સરકારમાં તો હું પહેલા કેટલાય વર્ષોથી સુધી ચૂપ રહ્યો. બાદમાં મને લાગ્યું કે દેશનું આટલું નુકસાન થયું. લોકોના પૈસાની લૂંટ અને બરબાદી થઈ છે. ત્યારે અમે વિચાર્યું કે, દેશના લોકોની સામે આવવું જોઈએ. બાદમાં અમે નક્કી કર્યું કે, એક વ્હાઈટ પેપર લાવવું જોઈએ.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.