PM મોદીએ 27 એકરમાં બનેલા અબુધાબીના પહેલા હિન્દુ મંદિરનું કર્યું ઉદ્ઘાટન, જાણો તેની વિશેષતા વિશે


  • Published By :
  • Published Date : 2024-02-14 21:02:48

સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન PM મોદીના હસ્તે પૂર્ણ થયું છે. આ મંદિરના ઉદ્ઘાટનમાં પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. આ મંદિર પશ્ચિમ એશિયામાં કદમાં સૌથી મોટું છે. આ મંદિરમાં સાત શિખરો છે જે સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરમાં ગલ્ફ કન્ટ્રીને ધ્યાનમાં રાખીને પથ્થરો પર ઊંટ અને રાષ્ટ્રીય પક્ષી ગરુડની કોતરણી પણ કરવામાં આવી છે. દુબઈ-અબુધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા પાસે બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા બાંધવામાં આવેલ આ હિન્દુ મંદિર લગભગ 27 એકર જમીનમાં બનેલ છે. આ મંદિરું નિર્માણ રાજસ્થાનના ગુલાબ બલુઆ પથ્થરથી બનાવ્યું છે. આ મંદિર 27 એકરમાં બનેલું છે અને તેની ઉંચાઈ 108 ફુટની છે. આ મંદિર વાસ્તુશિલ્પ અને પોતાની ભવ્યતાથી આખી દુનિયાને આકર્ષિત કરી રહ્યાં છે. આ મંદિરને બનાવવામાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.


PM નરેન્દ્ર મોદીનું કરાયું ભવ્ય સ્વાગત 


PM નરેન્દ્ર મોદીનું આબુધાબી મંદિર પરિસરમાં ઢોલ નગારાના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિને રજૂ કરતા લોકોએ તત્વના વારંવારિક વસ્ત્રો ધારણ કરી સ્લોગન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જય શ્રીરામના નારા સાથે સ્વાગત કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી કારમાંથી ઉતરતાની સાથે જ બ્રહ્મવિહારી સ્વામીને ભેટી પડ્યા હતા અને તેમની પીઠ થાબડી હતી. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ વધતા વલ્લભ હાર્મનીની મુલાકાત પણ લીધી હતી અને ત્યાં અલગ અલગ ધર્મના વડા સાથે ફોટો પણ પડાવ્યા હતા.


શું છે આ ભવ્ય મંદિર છે વિશેષતાઓ?


27 એકરમાં ફેલાયેલું આ સ્વામિનારાયણ મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર 13.5 એકરમાં બનેલું છે. 13.5 એકરમાં પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. પાર્કિંગમાં 14 હજાર કાર અને 50 બસો પાર્ક કરી શકાય છે.આ મંદિરમાં 7 શિખર અને 5 ગુંબજ છે. મંદિરની લંબાઈ 262 ફૂટ, પહોળાઈ 180 ફૂટ અને ઊંચાઈ 108 ફૂટ છે. મંદિરના નિર્માણ પાછળ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિરના નિર્માણમાં 50 હજાર ઘનફૂટ ઈટાલિયન માર્બલ, 18 લાખ ઘનફૂટ ભારતીય સેન્ડ સ્ટોન અને 18 લાખ પથ્થરની ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના નિર્માણમાં લોખંડ કે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ કારણે તે હજારો વર્ષો સુધી આવું જ રહેશે. માત્ર ચૂનાના પથ્થર અને આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરના નિર્માણ માટે 700 કન્ટેનરમાં 20,000 ટનથી વધુ પત્થરો અને માર્બલ અબુધાબી લાવવામાં આવ્યા હતા. મંદિરની દિવાલો પર ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ કોતરવામાં આવ્યા છે જે યુએઈનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન સ્વામિનારાયણના મંદિરની દિવાલો પર હિન્દુ ધર્મ અને વિશ્વની અન્ય તમામ સંસ્કૃતિઓ અને સભ્યતાઓની 250 થી વધુ વાર્તાઓ કોતરવામાં આવી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!