PM મોદીના હિમાચલ પ્રવાસને કવર કરવા માટે પત્રકારોએ આપવું પડશે કેરેક્ટર સર્ટિફિકેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 12:29:27

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરથી હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રવાસ પર જશે. પીએમ મોદી તેમના એક દિવસના પ્રવાસ દરમિયાન વિલાસપુર એમ્સ કેમ્પસનું ઉદઘાટન કરશે. તે ઉપરાંત એક જનસભાને પણ સંબોધશે અને કુલ્લુ દશેરામાં પણ ભાગ લેશે. 


પત્રકારો માટે કેરેક્ટર સર્ટિ અનિવાર્ય


પીએમ મોદીના ચૂંટણી પ્રવાસ પહેલા એક વિવાદ પણ સર્જાયો છે. જિલ્લા વહીવટી તંત્રએ વડાપ્રધાન મોદીના પ્રવાસને કવર કરવા માગતા પત્રકાર માટે કેરેક્ટર સર્ટીફિકેટ ફરજિયાત બનાવી દીધુ છે. જોવાની બાબત તો એ છે કે આ સર્ટી ફક્ત પ્રિન્ટ, ડિઝિટલ કે ટીવી પત્રકારો માટે જ નહીં પણ ઓલ ઈન્ડિયા રેડિયો અને દુરદર્શન સહિત સરકારી મીડિયા પ્રતિનિધિઓ માટે પણ અનિવાર્ય છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિરોધ પક્ષે સરકારના આ નિર્ણયને પ્રેસની આઝાદીની વિરૂધ્ધ ગણાવ્યું છે. 





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.