કોવિડ અને ઈન્ફ્લ્યુએન્ઝાના વધતા કેસને લઈને સરકાર એક્શનમાં, PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આપ્યા આ નિર્દેશ


  • Published By :
  • Published Date : 2023-03-22 20:58:13

દેશમાં કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાના વધતા સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન સ્થિતિ અને જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સની સજ્જતા, રસીકરણ અભિયાનની સ્થિતિ, કોવિડ-19ના નવા વેરિયેન્ટ અને ઈન્ફલ્યુએન્ઝાના વેરિયેન્ટના ઉદભવ અંગે ચર્ચા થઈ હતી.  


PM મોદીએ આપી આ સુચના


આ દરમિયાન  PM મોદીએ કોરોના વાયરસને લઈને સાવચેતી અને તકેદારી રાખવાની સલાહ આપી હતી. PMએ તમામ ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) કેસોનું લેબોરેટરી સર્વેલન્સ અને ટેસ્ટીંગ વધારવાની અને જીનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સાથે, કોવિડ સામે સજ્જતા સુનિશ્ચિત કરવા, હોસ્પિટલોમાં ફરીથી મોક ડ્રીલનું આયોજન કરવાનો, નિર્દેશ આપ્યો અને લોકોને કોવિડનું યોગ્ય વર્તન અનુસરવાની સલાહ આપી.


PM મોદીને અપાઈ જાણકારી


કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવ દ્વારા ભારતમાં વધી રહેલા કેસ સહિત વૈશ્વિક કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. PM મોદીએ છેલ્લા કેટલાક મહિનામાં નોંધાયેલા H1N1 અને H3N2ના વધુ કેસોના સંદર્ભમાં અધિકારીઓને સુચના આપી હતી. તે ઉપરાંત પ્રધાનમંત્રીએ અધિકારીઓને INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીઝ સાથે પોઝિટિવ ટેસ્ટ સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપ્યો હતો.  


દવાઓનો જથ્થો વધારવા પર ભાર


PM મોદીએ ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19 માટે જરૂરી દવાઓ અને લોજિસ્ટિક્સની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું, કોવિડ -19 રોગચાળો હજી દૂર છે અને દેશભરની સ્થિતિ પર નિયમિતપણે દેખરેખ રાખવાની જરૂર છે. તેમણે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ યોગ્ય વર્તણૂકની 5-ગણી વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવા, તમામ ગંભીર તીવ્ર શ્વસન બિમારી (SARI) કેસોની લેબ સર્વેલન્સ અને પરીક્ષણ વધારવાની સલાહ આપી.  


ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત


PM મોદીએ લોકોને સ્વચ્છતાનું પાલન કરવા અને ભીડવાળા સાર્વજનિક સ્થળોએ કોવિડ યોગ્ય વર્તનનું પાલન કરવા વિનંતી કરી હતી. આ બેઠકમાં પીએમના અગ્ર સચિવ પીકે મિશ્રા, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી કે પોલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!