યમુના નદી ક્યારે થશે સ્વચ્છ , પીએમ મોદીએ યોજી રીવ્યુ મિટિંગ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-18 13:34:17

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ્થાને મળેલી આ મિટિન્ગમાં યમુનાને ચોખ્ખી કરવા અને નવીનીકરણ કરવા માટે જે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તેનો રીવ્યુ લેવામાં આવ્યો છે . યમુનાને ચોખ્ખી કરવાનો એક્શન પ્લાન ત્રણ પ્રકારની પ્રવૃત્તિ ધરાવે છે. 

૧) ટૂંકાગાળાની પ્રવૃત્તિ ( ૩ મહિના) 

૨) મધ્યમગાળાની પ્રવૃત્તિ (૩ મહિનાથી ૧.૫ વર્ષ ) 

૩) લાંબાગાળાની પ્રવૃત્તિ (૧.૫ વર્ષ થી ૩ વર્ષ ) 

આ તમામ પ્રવૃત્તિઓમાં ડ્રેઇન મેનેજમેન્ટ , સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ , સીવેજ મેનેજમેન્ટ , સેપ્ટજ અને ડેરી વેસ્ટ મેનેજમેન્ટ , ઇન્ડસ્ટ્રીઅલ વેસ્ટ મેનેજમેન્ટ સાથે જ વેસ્ટ વોટર ટ્રિટમન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મોનીટરીંગમાં જે અંતર આવે છે તેને ભરવા માટે , યમુના નદીના પ્રવાહમાં સુધારો કરવો , પૂરથી સુરક્ષા , રીવર ફ્રન્ટના વિકાસ અને જનતા સાથે ચર્ચા આ તમામ પ્રવૃત્તિઓનો  સમાવેશ થાય છે. સાથે જ આ બધી જ પ્રવૃત્તિઓ ચોક્કસ ટાઈમમાં પુરી કરવી . તાત્કાલિક ધોરણે દિલ્હીની ડ્રિન્કીંગ વોટરની  વ્યવસ્થામાં જે પણ ગાબડા હશે તેને સુધારવામાં આવશે. સાથે જ દિલ્હી હવે એક અર્બન રીવર મેનેજમેન્ટ પ્લાન બનાવશે જેમાં વોટર મેનેજમેન્ટને શહેરના માસ્ટર પ્લાન સાથે જોડવામાં આવશે. 

Yamuna River System - UPSC - UPSC Notes » LotusArise

આ આખી મિટિંગમાં યમુનાની ત્રણ મુખ્ય ધારાઓ જેમ કે હરિયાણામાં વહેતી ધારા , રાજધાની દિલ્હીમાં વહેતી ધારા અને દિલ્હીથી પ્રયાગરાજ એટલેકે સંગમ સુધી વહેતી ધારા પર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેસ્ટવોટર ટ્રિટમન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટની કેટલીક ખામીઓ કે જે યમુના નદીના પાણીની  ગુણવત્તાને અસર પહોંચાડે છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મિટિંગમાં કહ્યું હતું કે લોકોનો જે છટ્ઠ પૂજા ઉજવવાનો જે અનુભવ છે તેમાં સુધાર આવવો જોઈએ. સાથે જ યમુનાના કાંઠે રહેનારા લોકો સાથે નદીનું જોડાણ મહત્વનું છે . જેનાથી લોકોમાં નદી પ્રત્યે માન વધે. આ બધા જ માટે એક જન ભાગીદારી આંદોલનની આવશ્યકતા છે જેમાં સ્વયંસેવકો નદીને ચોખ્ખી કરવા તૈયાર થાય અને નદી કાંઠે મોટા કાર્યક્રમ યોજાય. દિલ્હીમાં વહેતી યમુનાની સાથે , આપણે સંસ્કૃતિથી સમૃદ્ધ એવા બ્રજ પ્રદેશ પર પણ ભાર મુકીશું . તે માટે બ્રજ યાત્રાને જન ભાગીદારી આંદોલનનો ભાગ બનાવવામાં આવશે . આ મિટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સલાહ એ પણ આપી છે કે  , સૌથી શ્રેષ્ઠ ઉપલબ્ધ ટેક્નોલોજીનો ઉપયોગ નદીના પાણીમાં જે ગટરનું પાણી જઈ રહ્યું છે સાથે જ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો માઇક્રો લેવલ રિયલ ટાઈમ ડેટા માપવા કરવો જોઈએ. આ ડેટાના આધારે પલ્યુશન અબેટમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. આ ડેટાનો ઉપયોગ આંતરમાળખાના વહીવટને સુધારવામાં પણ કરવો જોઈએ. વધારામાં પીએમ નરેન્દ્ર મોદીએ સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!