દેહરાદુન- દિલ્હી વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી! પોતાના ભાષણમાં કરી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-25 15:07:26

દેશના અનેક રાજ્યોને વંદે ભારત ટ્રેનની ભેટ મળી ચૂકી છે. ત્યારે દેશને આજે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દિલ્હી દેહરાદુન વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. ટ્રેનની શરૂઆત કરાયા બાદ પીએમ મોદીએ કહ્યું કે દિલ્હી અને દેહરાદુન વચ્ચે ચાલતી આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશની રાજધાનીને વધુ ઝડપી ગતિએ જોડશે. આ ટ્રેનથી દિલ્હી અને દેહરાદુન વચ્ચેની મુસાફરી 4.45 કલાકમાં થઈ જશે. વધુમાં તેમણે કહ્યું કે પર્વતમાલા યોજના ઉત્તરાખંડનું ભવિષ્ય બદલવા જઈ રહી છે. આ ટ્રેન શરૂ થવાથી રાજ્યમાં આવતા મુસાફરો માટે લાભદાયક રહેશે.

        

આગળની સરકાર પર પીએમ મોદીએ સાધ્યું નિશાન! 

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. ઉત્તરાખંડને પ્રથમ જ્યારે દેશને 18મી વંદે ભારત ટ્રેન મળી છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે પહેલાની સરકારને માત્ર પોતાના સામ્રાજ્યની ચિંતા હતી. સામાન્ય લોકો તેમની પ્રાથમિકતા ન હતા. પહેલાની સરકારે માત્ર વાયદા કર્યા,પરંતુ તેને પૂરા નથી કર્યા. રેલવેની પણ અવગણના કરી. દેશની જરૂરતોને સમજ્યા પણ નથી. પરિવારવાદમાં રહ્યા. ભારતમાં હાઈ સ્પીડ ટ્રેનોને લઈ દાવા કરવામાં આવ્યા, અનેક વર્ષો વીતી ગયા. હાઈસ્પીડ ટ્રેન તો છોડો પરંતુ રેલવે નેટવર્કથી માનવ રહિત ફાટક પણ નથી હટાયા. પરંતુ અમારી સરકારે 2014 પછી રેલવેને બદલવા માટે કામ કર્યું. 


વિદેશ પ્રવાસનો પીએમે કર્યો ઉલ્લેખ!

ભાષણ દરમિયાન પીએમ મોદીએ પોતાના પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તે હમણાં જ ત્રણ દેશોનો પ્રવાસ કરી ભારત પરત આવ્યા છે. સમગ્ર દુનિયા ભારત પાસેથી આશા રાખીને બેઠા છે. અનેક સંકટોનો સામનો કરવા છતાંય થોડા વર્ષોમાં ભારતે જે રીતે અર્થવ્યવસ્થા મજબૂત કરી છે, તેની પ્રશંસા દુનિયામાં થઈ રહી છે.    

ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા હતા હાજર!

જે વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે તે અઠવાડિયાના 6 દિવસ દોડશે. સવારે સાત વાગ્યે દેહરાદુનથી સફર શરૂ થશે અને પોણા બાર વાગ્યાની આસપાસ દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચશે. 28 મે થી આ ટ્રેન સત્તાવાર રીતે શરૂ થશે. આ કાર્યક્રમમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.