PM મોદીએ જાતિ આધારિત ગણતરીની રાજનીતિ પર આપ્યો જવાબ! કહ્યું મને આ ચાર જાતિ...


  • Published By :
  • Published Date : 2023-12-01 16:44:25

દેશમાં પાંચ રાજ્યોમાં સ્ટેટ ઇલેકશન પૂર્ણ થઇ ગયા છે અને આ ઈલેક્શનમાં સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો એ હતો જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો.વિપક્ષ છેલ્લા કેટલાય સમયથી જાતી આધારિત વસ્તી ગણતરીની માગ કરી રહ્યું છે. જો જાતી આધારિતવસ્તી ગણતરી થાય તો ઓબીસીએ ખુબ મોટી વોટબેંન્ક છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ખુલાસો કર્યો છે કે એમને કઈ 4 જાતિઓથી વિશેષ પ્રેમ છે?

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કરી આ વાત!

ગઈકાલે પીએમ મોદી વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને વર્ચ્યુઅલ રીતે સંબોઘી રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ એક એવું સ્ટેટમેન્ટ આપ્યું કે તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સંબોધન વખતે તેમણે કહ્યું કે પહેલાની સરકારો પોતાને માઈ-બાપ માનતી હતી. એનાથી વિશેષ અને જેની પર બધાની નજર હતી એ વાક્ય પીએમ મોદી બોલ્યા. વડાપ્રધાને કહ્યું કે    મારા માટે સૌથી મોટી જાતિ ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોની છે. તેમને મજબૂત કરીને અમે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. આપણા અમૃત સ્તંભો આપણી નારી શક્તિ, આપણી યુવા શક્તિ, આપણા ખેડૂતો અને આપણા ગરીબ પરિવારો છે. 


ભાજપની આ ટ્રીક કેટલી કામ લાગશે?

હવે વિપક્ષના જાતિઆધારિત વસ્તીગણતરી અને ઓબીસીવાળી રાજનીતિ પર પીએમ મોદીએ પાણી ફેરવી અને હિન્દુત્વની છત્રીના બદલે આ વખતે ગરીબ અને યુવાનો મહિલાઓ વાળી છત્રી ખોલી છે તો હેવ આ ટ્રીક કેટલી કામ કરે છે એ જોવાનું રહ્યું!



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.