'કાશ્મીર હોય કે અરુણાચલ, અમે દેશમાં ગમે ત્યાં કરી શકીએ છીએ G20 મીટિંગ' : PM મોદી


  • Published By :
  • Published Date : 2023-09-03 19:34:22

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના દરેક ભાગમાં જી-20ની બેઠકોનું આયોજન કરી શકીએ છીએ. PM મોદીએ અરુણાચલ પ્રદેશ અને કાશ્મીરમાં G20 બેઠકોના આયોજન પર ચીનના વાંધાઓને ફગાવી દીધા હતા. ઉલ્લેખનિય છે કે ભારતને પ્રથમ વખત G20 જેવા મોટા દેશોના સંગઠનનું પ્રમુખપદ મળ્યું છે. G20 સમિટ માટે વિદેશી નેતાઓ 9-10 સપ્ટેમ્બરે ભારત આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં વિદેશી નેતાઓનું સ્વાગત કરવાની તૈયારી કરી રહી છે. ભારતની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ સહિત ઘણી જગ્યાએ જી-20 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. 


PM મોદીએ કહી આ મોટી વાત


PM મોદીએ કહ્યું કે ભારતની સંસ્કૃતિ અને વિવિધતા બતાવવા માટે સરકારે દેશના અલગ-અલગ ભાગોમાં જી-20 બેઠકોનું આયોજન કર્યું હતું. આ બેઠકો અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ યોજાઈ હતી. ચીન અને પાકિસ્તાને આનો વિરોધ કર્યો હતો કારણ કે ચીન અરુણાચલ પ્રદેશને માને છે અને પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરને 'વિવાદિત' માને છે. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં વડા પ્રધાને ચીન, પાકિસ્તાનના વાંધાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે 'આ પ્રશ્ન તે સમયે માન્ય હોત જો અમે તે સ્થળોએ બેઠકો યોજવાનું ટાળ્યું હોત'. આપણો દેશ વિશાળ અને વિવિધતાઓથી ભરેલો છે. દેશમાં G20ની બેઠકો યોજાઈ રહી છે ત્યારે તે દેશના દરેક ભાગમાં યોજાય તે સ્વાભાવિક છે."


આફ્રિકન યુનિયનને G20નો હિસ્સો બનાવવાની હિમાયત


પીએમ મોદીએ ફરી એકવાર આફ્રિકન યુનિયનને G20નો હિસ્સો બનાવવાની હિમાયત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે જી-20માં આફ્રિકા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દરેકની વાત સાંભળ્યા વિના સારા ભવિષ્યની યોજના બનાવી શકાતી નથી. તેમણે કહ્યું કે ભારતે જી-20ના પ્રમુખપદ માટે વસુધૈવ કુટુમ્બકમની થીમ પસંદ કરી છે. આ માત્ર એક સ્લોગન નથી પણ આપણી સંસ્કૃતિ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.