'કાશ્મીર હોય કે અરુણાચલ, અમે દેશમાં ગમે ત્યાં કરી શકીએ છીએ G20 મીટિંગ' : PM મોદી


  • Published By :
  • Published Date : 2023-09-03 19:34:22

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના દરેક ભાગમાં જી-20ની બેઠકોનું આયોજન કરી શકીએ છીએ. PM મોદીએ અરુણાચલ પ્રદેશ અને કાશ્મીરમાં G20 બેઠકોના આયોજન પર ચીનના વાંધાઓને ફગાવી દીધા હતા. ઉલ્લેખનિય છે કે ભારતને પ્રથમ વખત G20 જેવા મોટા દેશોના સંગઠનનું પ્રમુખપદ મળ્યું છે. G20 સમિટ માટે વિદેશી નેતાઓ 9-10 સપ્ટેમ્બરે ભારત આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં વિદેશી નેતાઓનું સ્વાગત કરવાની તૈયારી કરી રહી છે. ભારતની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ સહિત ઘણી જગ્યાએ જી-20 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. 


PM મોદીએ કહી આ મોટી વાત


PM મોદીએ કહ્યું કે ભારતની સંસ્કૃતિ અને વિવિધતા બતાવવા માટે સરકારે દેશના અલગ-અલગ ભાગોમાં જી-20 બેઠકોનું આયોજન કર્યું હતું. આ બેઠકો અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ યોજાઈ હતી. ચીન અને પાકિસ્તાને આનો વિરોધ કર્યો હતો કારણ કે ચીન અરુણાચલ પ્રદેશને માને છે અને પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરને 'વિવાદિત' માને છે. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં વડા પ્રધાને ચીન, પાકિસ્તાનના વાંધાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે 'આ પ્રશ્ન તે સમયે માન્ય હોત જો અમે તે સ્થળોએ બેઠકો યોજવાનું ટાળ્યું હોત'. આપણો દેશ વિશાળ અને વિવિધતાઓથી ભરેલો છે. દેશમાં G20ની બેઠકો યોજાઈ રહી છે ત્યારે તે દેશના દરેક ભાગમાં યોજાય તે સ્વાભાવિક છે."


આફ્રિકન યુનિયનને G20નો હિસ્સો બનાવવાની હિમાયત


પીએમ મોદીએ ફરી એકવાર આફ્રિકન યુનિયનને G20નો હિસ્સો બનાવવાની હિમાયત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે જી-20માં આફ્રિકા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દરેકની વાત સાંભળ્યા વિના સારા ભવિષ્યની યોજના બનાવી શકાતી નથી. તેમણે કહ્યું કે ભારતે જી-20ના પ્રમુખપદ માટે વસુધૈવ કુટુમ્બકમની થીમ પસંદ કરી છે. આ માત્ર એક સ્લોગન નથી પણ આપણી સંસ્કૃતિ છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.