PM મોદીએ કોરોનાની સ્થિતી અને તૈયારી અંગે યોજી હાઈ લેવલ બેઠક


  • Published By :
  • Published Date : 2022-12-22 20:22:11

ચીનમાં કોરોના સંક્રમણ વધતા દુનિયાભરમાં ચિંતાનો માહોલ છે અને ભારત સહિત અન્ય દેશો પણ એલર્ટ થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિ અને તૈયારી અંગે હાઈલેવલ બેઠક યોજી છે. સ્વાસ્થ્ચ મંત્રાલય તરફથી વડાપ્રધાન મોદીને વિસ્તારથી માહિતીગાર કરવામાં આવ્યા હતા. 


PM મોદીએ કોરોના અંગે માહિતી મેળવી


પીએમ મોદીએ બેઠકમાં કોરોનાની સ્થિતિ અને સ્વાસ્થ્ય મંત્રાલયની તૈયારીઓને લઈ સવાલો કર્યા હતા. વડાપ્રધાન મોદી સાથે કોવિડ પર યોજાયેલી બેઠકમાં નિષ્ણાંતોએ કોવિડ 19 પર ભારત અને ચીન સહિત અન્ય દેશોની સ્થિતિમાં તફાવતને સ્પષ્ટ કરી હતી. પીએમ મોદીએ યોજેલી આ મિટીંગમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા, પીકે મિશ્રા, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, ગૃહ સચિવ અજય ભલ્લા, પેટ્રોકેમિકલ સચિવ, સિવિલ એવિએશન સચિવ હાજર રહ્યા હતા.


મનસુખ માંડવિયાએ શું કહ્યું?


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાથી બચવા માટે સરકારે જાહેર કરેલ માર્ગદર્શિકાનું પાલન કરવાની લોકોને અપીલ કરી હતી. તેની સાથે-સાથે આ મહામારી સામે લોકજાગૃતી લાવવા માટે અનુરોધ કર્યો હતો. દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અને સરકારની તૈયારીઓ અંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે “સરકાર સતત પગલાં લઈ રહી છે અને રાજ્યોને પણ એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સાથે જ રાજ્યોને નવા આવતા કોરોનાના કેસના જીનોમ સિક્વન્સ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. જેથી કોરોના વેરિઅન્ટના નવા પ્રકારો પણ જાણી શકાય. નવા વર્ષ અને તહેવારને ધ્યાનમાં રાખીને, માસ્ક, સેનિટાઈઝર અને અન્ય કોરોના ઉપાયો અપનાવવાની સલાહ આપવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.