PM મોદીએ જણાવ્યું તેમની તંદુરસ્તીનું રહસ્ય, કહ્યું 'હું રોજ 3 કિલો ગાળો ખાઈને પચાવું છું'


  • Published By :
  • Published Date : 2022-11-12 17:31:19

પીએમ મોદી આજે શનિવારે તેલંગાણા પહોંચ્યા હતા. મોદીએ ત્યાં એક રેલીમાં સંબોધન કરતા રાજ્યના મુખ્યમંત્રી કેસીઆરને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે "તેમની અંદર અતિ એનર્જી એટલા માટે છે કેમ છે કે તે ખુબ જ ગાળો ખાય છે". કેસીઆર દરરોજ ભય, નિરાશા અને અંધવિશ્વાસના કારણે તેમને સવાર-સાંજ ગાળો આપે છે. જો કે તેમણે તે પણ કહ્યું કે હું છેલ્લા 20-22 વર્ષમાં વિવિધ પ્રકારની ગાળો ખાઈ ચુક્યો છું. 


'જનતાની સેવામાં કામ આવે છે ગાળો'


કેસીઆર પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે 'તેલંગાણામાં જે લોકોને સત્તા મળી છે તેઓ માત્ર મોદીને ગાળો આપવા અને કોસવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. "હું ગઈ કાલે સવારે દિલ્હીમાં હતો, બપોરે કર્ણાટક પહોંચ્યો, પછી રાત્રે તમિલનાડુ પહોંચ્યો અને હવે તેલંગાણામાં છું," તેમણે કહ્યું. લોકો મને પૂછે છે કે આ ઊર્જા ક્યાંથી આવે છે? હું કહું છું કે હું દરરોજ અઢીથી ત્રણ કિલો ગાળો ખાઉં છું. ભગવાને મારામાં અંદર એવી રચના બનાવી છે કે બધી જ ગાળો અંદર જાય અને પોષણમાં પરિવર્તિન થઈ જાય છે, સકારાત્મક ઉર્જા બની જાય છે. જે જનતાની સેવામાં કામ આવે છે.'



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.