રાહુલ ગાંધીના આકરા પ્રહાર "ચીને આપણી હજારો કિમી જમીન છીનવી, PM મોદી જુઠ્ઠું બોલ્યા હતા"


  • Published By :
  • Published Date : 2023-08-25 21:15:13

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે લદ્દાખના કારગીલમાં રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના લદ્દાખ પ્રવાસના છેલ્લા તબક્કામાં રાહુલ ગાંધીએ કારગીલમાં ભાજપ પર પ્રહાર કરતા સવાલ કર્યો હતો કે તે લદ્દાખની જમીન છીનવીને અદાણી ગ્રુપને આપવા માગે છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ જ કારણ છે કે ભાજપ લદ્દાખી લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ નથી આપતી. કેમ કે ત્યાર બાદ તેઓ સ્થાનિક લોકોની જમીન નહીં લઈ શકે. પરંતુ કોંગ્રેસ આવું ક્યારેય થવા નહીં દે.


લદ્દાખ એક રણનૈતિક સ્થાન


રાહુલ ગાધીએ કહ્યું કે લદ્દાખ રણનિતીની દ્રષ્ટીઓ ખુબ જ મહત્વનું સ્થાન છે. એક વાત તો સ્પષ્ટ છે કે ચીને ભારતની હજારો કિલોમીટર જમીન છીનવી છે, દુ:ખની વાત એ છે કે વિપક્ષની બેઠકમાં PM મોદીએ કહ્યું હતું કે લદ્દાખની એક ઈંચ જમીન પણ ચીને લીધી નથી. આ એક જુઠ્ઠાણું છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખે દાવો કર્યો હતો કે ચીન લદ્દાખમાં ભારતીય વિસ્તાર હડપ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ખરાબ હવામાનના કારણે ભારત જોડો યાત્રા દરમિયાન તે લદ્દાખનો પ્રવાસ કરી શક્યા નહોંતા.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.