રાહુલ ગાંધીના આકરા પ્રહાર "ચીને આપણી હજારો કિમી જમીન છીનવી, PM મોદી જુઠ્ઠું બોલ્યા હતા"


  • Published By :
  • Published Date : 2023-08-25 21:15:13

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે લદ્દાખના કારગીલમાં રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના લદ્દાખ પ્રવાસના છેલ્લા તબક્કામાં રાહુલ ગાંધીએ કારગીલમાં ભાજપ પર પ્રહાર કરતા સવાલ કર્યો હતો કે તે લદ્દાખની જમીન છીનવીને અદાણી ગ્રુપને આપવા માગે છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ જ કારણ છે કે ભાજપ લદ્દાખી લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ નથી આપતી. કેમ કે ત્યાર બાદ તેઓ સ્થાનિક લોકોની જમીન નહીં લઈ શકે. પરંતુ કોંગ્રેસ આવું ક્યારેય થવા નહીં દે.


લદ્દાખ એક રણનૈતિક સ્થાન


રાહુલ ગાધીએ કહ્યું કે લદ્દાખ રણનિતીની દ્રષ્ટીઓ ખુબ જ મહત્વનું સ્થાન છે. એક વાત તો સ્પષ્ટ છે કે ચીને ભારતની હજારો કિલોમીટર જમીન છીનવી છે, દુ:ખની વાત એ છે કે વિપક્ષની બેઠકમાં PM મોદીએ કહ્યું હતું કે લદ્દાખની એક ઈંચ જમીન પણ ચીને લીધી નથી. આ એક જુઠ્ઠાણું છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખે દાવો કર્યો હતો કે ચીન લદ્દાખમાં ભારતીય વિસ્તાર હડપ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ખરાબ હવામાનના કારણે ભારત જોડો યાત્રા દરમિયાન તે લદ્દાખનો પ્રવાસ કરી શક્યા નહોંતા.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.