PM Modiએ દેશના જવાનો સાથે ઉજવી દિવાળી, Himachal Pradeshના Lepcha પહોંચ્યા પીએમ મોદી, કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-11-12 15:14:48

સમગ્ર દેશમાં દિવાળી પર્વની શાંતિપૂર્ણ વાતાવરણમાં તેમજ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આપણે તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે એટલા માટે કરી શકીએ છીએ કારણ કે દેશની રક્ષા કરવા માટે સીમાઓ પર દેશના જવાનો તૈનાત હોય છે. આપણે આપણા પરિવારના સભ્યો સાથે તહેવારની ઉજવણી કરી શકીએ તે માટે તે પોતાના પરિવારથી દૂર છે. ત્યારે દેશના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા પીએમ મોદી દર વર્ષે જતા હોય છે. ત્યારે આ વર્ષે પણ પીએમ મોદીએ એ પરંપરાને જાળવી રાખી છે. હિમાચલ પ્રદેશમાં જવાનો સાથે પીએમ મોદી દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા છે.

દર વર્ષે પીએમ મોદી દેશના જવાનો સાથે મનાવે છે દિવાળી 

દેશના જવાનો સાથે પીએમ મોદી દર વર્ષે દિવાળી પર્વની ઉજવણી કરતા હોય છે. અલગ અલગ જગ્યાઓ પર જાય છે જવાનો સાથે પર્વ મનાવતા હોય છે. 2014માં સિયાચિન ગ્લેશિયરમાં, વર્ષ 2015માં પંજાબના અમૃતસરમાં, વર્ષ 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અને વર્ષ 2017માં કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આનાથી આગળ વર્ષ 2018માં વડાપ્રધાને ઉત્તરાખંડના કેદારનાથમાં અને વર્ષ 2019માં જમ્મુ સંભાગના રાજૌરીમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તે વર્ષ 2020માં દિવાળીની ઉજવણી કરવા પીએમ મોદી રાજસ્થાનના જેસલમેરમાં પહોંચ્યા હતા. રાજૌરી જિલ્લાના નૌશહરામાં વર્ષ 2021ની દિવાળી સેલિબ્રેટ કરી હતી અને વર્ષ 2022માં કારગિલમાં દિવાળી ઉજવી હતી. ત્યારે 2023માં પણ પીએમ મોદીએ આ પરંપરાને જાળવી રાખી છે. આ વખતે પણ પીએમ મોદીએ દેશના જવાનો સાથે દિવાળી ઉજવી છે.

દેશવાસીઓને પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છા 

દિવાળી પર્વની શુભકામના પણ પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉજવણીની અનેક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે જેમાં પીએમ મોદી દેશના જવાનોને મીઠાઈ ખવડાવી રહ્યા છે. તે ઉપરાંત પીએમ મોદીએ દેશના જવાનોને પણ સંબોધિત કર્યા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.