કમલમમાં PM મોદીએ ભાજપ નેતાઓનો લીધો ક્લાસ, પાર્ટી માટે કામે લાગી જવાની કરી તાકીદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 11:49:06

રાજ્યમાં ડિસેમ્બર 2022માં યોજાનારી વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવતી જાયે છે તેમ-તેમ શાસક પક્ષ ભાજપની ચિંતા વધી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ પણ આ ચિંતાને ઉજાગર કરે છે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાને કોર કમિટીના સભ્યો સાથે બે કલાક સુધી કમલમમાં બેઠક કરી હતી.



બેઠકમાં મોદીએ સભ્યોનો લીધો ક્લાસ


ભાજપની કોર કમિટીના સભ્યો સાથે કમલમમાં યોજેલી બેઠકમાં મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના પ્રચાર પર ભાર મુક્યો હતો. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પીએમ મોદીએ સભ્યોને લોકોમાં પ્રવર્તતી 'એન્ટી ઈન્કમ્બન્સીને ભૂલાવી દેવા તાત્કાલિક પગલા લેવાનો પણ અનુરોધ કર્યો હતો. મોદીએ ત્રણ મહિનામાં ઉત્તમ પરિણામ લાવવા આંતરિક મતભેદો ભૂલીને પાર્ટી માટે કામે લાગી જવા જણાવ્યું હતું. અત્યાર સુધી ભાજપને માત્ર કોંગ્રેસ તરફથી જ પડકારનો સામનો કરવો પડતો હતો. જો કે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, આપના નેતા અરવિંદ કેજરીવાલે રાજ્યમાં લોકોને આકર્ષવા માટે ધડાઘડ મોટી જાહેરાતો કરતા ભાજપના અગ્રણી નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી સંગઠનનું માળખુ પણ મજબુત બનાવી રહી છે.સ્થાનિક નેતાગીરીથી નારાજ મોદીએ ભાજપના નેતાઓ સાથે ભોજન લેવાનું પણ ટાળ્યું હતું.



'રેવડી કલ્ચર'એ ચિંતા વધારી


મોદીને સૌથી મોટી ચિંતા આમ આદમી પાર્ટીની વધી રહેલી લોકપ્રિયતા છે. કેજરીવાલના 'રેવડી કલ્ચર' એ જ આપને દિલ્લી અને પંજાબમાં સત્તા અપાવી હતી. કેજરીવાલે રાજ્યની પ્રજાની રગ પારખીને  10 લાખ નોકરી, નોકરી ન મળે ત્યાં સુધી 3,000 રૂપિયા પ્રતિ માસનું બેરોજગારી ભથ્થું, 201-400 યૂનિટ સુધીના વીજળીના બિલ પર 50 ટકા સબસિડી, આ સિવાય અરવિંદ કેજરીવાલે મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સ્ત્રી સન્માન રાશિનો વાયદો કર્યો છે. સમાજના અન્ય વર્ગોની સમસ્યાઓને ધ્યાને રાખતાં વેપારીઓ અને આદિવાસી-વંચિત સમાજના લોકો માટે પણ મફત સ્વાસ્થ્ય, પારદર્શી વહીવટી તંત્રની સ્થાપના વગેરેની ગૅરંટી જાહેર કરી હતી. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.