કમલમમાં PM મોદીએ ભાજપ નેતાઓનો લીધો ક્લાસ, પાર્ટી માટે કામે લાગી જવાની કરી તાકીદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 11:49:06

રાજ્યમાં ડિસેમ્બર 2022માં યોજાનારી વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવતી જાયે છે તેમ-તેમ શાસક પક્ષ ભાજપની ચિંતા વધી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ પણ આ ચિંતાને ઉજાગર કરે છે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાને કોર કમિટીના સભ્યો સાથે બે કલાક સુધી કમલમમાં બેઠક કરી હતી.



બેઠકમાં મોદીએ સભ્યોનો લીધો ક્લાસ


ભાજપની કોર કમિટીના સભ્યો સાથે કમલમમાં યોજેલી બેઠકમાં મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના પ્રચાર પર ભાર મુક્યો હતો. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પીએમ મોદીએ સભ્યોને લોકોમાં પ્રવર્તતી 'એન્ટી ઈન્કમ્બન્સીને ભૂલાવી દેવા તાત્કાલિક પગલા લેવાનો પણ અનુરોધ કર્યો હતો. મોદીએ ત્રણ મહિનામાં ઉત્તમ પરિણામ લાવવા આંતરિક મતભેદો ભૂલીને પાર્ટી માટે કામે લાગી જવા જણાવ્યું હતું. અત્યાર સુધી ભાજપને માત્ર કોંગ્રેસ તરફથી જ પડકારનો સામનો કરવો પડતો હતો. જો કે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, આપના નેતા અરવિંદ કેજરીવાલે રાજ્યમાં લોકોને આકર્ષવા માટે ધડાઘડ મોટી જાહેરાતો કરતા ભાજપના અગ્રણી નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી સંગઠનનું માળખુ પણ મજબુત બનાવી રહી છે.સ્થાનિક નેતાગીરીથી નારાજ મોદીએ ભાજપના નેતાઓ સાથે ભોજન લેવાનું પણ ટાળ્યું હતું.



'રેવડી કલ્ચર'એ ચિંતા વધારી


મોદીને સૌથી મોટી ચિંતા આમ આદમી પાર્ટીની વધી રહેલી લોકપ્રિયતા છે. કેજરીવાલના 'રેવડી કલ્ચર' એ જ આપને દિલ્લી અને પંજાબમાં સત્તા અપાવી હતી. કેજરીવાલે રાજ્યની પ્રજાની રગ પારખીને  10 લાખ નોકરી, નોકરી ન મળે ત્યાં સુધી 3,000 રૂપિયા પ્રતિ માસનું બેરોજગારી ભથ્થું, 201-400 યૂનિટ સુધીના વીજળીના બિલ પર 50 ટકા સબસિડી, આ સિવાય અરવિંદ કેજરીવાલે મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સ્ત્રી સન્માન રાશિનો વાયદો કર્યો છે. સમાજના અન્ય વર્ગોની સમસ્યાઓને ધ્યાને રાખતાં વેપારીઓ અને આદિવાસી-વંચિત સમાજના લોકો માટે પણ મફત સ્વાસ્થ્ય, પારદર્શી વહીવટી તંત્રની સ્થાપના વગેરેની ગૅરંટી જાહેર કરી હતી. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.