PM મોદીના CM નીતિશ પર પ્રહાર, 'વિધાનસભામાં આપણી માતાઓ અને બહેનોનું અપમાન થયું....'


  • Published By :
  • Published Date : 2023-11-08 18:16:58

બિહારના સીએમ નીતિશ કુમારે વિધાનસભામાં આપેલા નિવેદનથી સમગ્ર દેશમાં હોબાળો મચ્યો છે. મહિલાઓ અંગેના તેમના આ નિવેદનની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. PM મોદીએ પણ નીતિશ કુમાર આજે ઉગ્ર શાબ્દિક પ્રહારો કર્યા હતા. મધ્યપ્રદેશના દમોહમાં એક ચૂંટણી રેલીને સંબોધી રહેલા નરેન્દ્ર મોદીએ નિતીશ કુમારના નિવેદનને મહિલાઓનું અપમાન ગણાવ્યું હતું. 


PM મોદીએ શું કહ્યું?


MPના દમોહમાં જનમેદનીને સંબોધી રહેલા પીએમ મોદીએ કહ્યું કે 'અહંકારી ગઠબંધનના એક બહુ મોટા નેતા, જે પોતાનો ઝંડો લઈને ફરતા હોય છે, તેમણે વિધાનસભામાં માતાઓ અને બહેનોની હાજરીમાં એવી અભદ્ર ભાષામાં વાત કરી, જેની કલ્પના પણ કરી શકાતી નથી. તેમને કોઈ શરમ નથી. INDIA ગઠબંધનના એક પણ નેતાએ હજુ સુધી તેમની નિંદા કરી નથી. કેટલા નીચે ગરી ગયા છીએ આપણે. વિશ્વમાં ભારતની છબી ખરાબ થઈ રહી છે."નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે 'ભારત ગઠબંધનનો એક પણ નેતા માતાઓ અને બહેનોના ભયાનક અપમાન સામે એક શબ્દ બોલવા તૈયાર નહોતો. શું આવા વિચારો ધરાવતા લોકો તમારું કોઈ ભલું કરી શકે છે?


નિતીશ કુમારે શું બફાટ કર્યો હતો? 


CM નીતીશ કુમાર બિહાર વિધાનસભામાં એ સમજાવવા માંગતા હતા કે જો છોકરીઓ શિક્ષિત થશે તો વસ્તી આપોઆપ ઘટશે. પરંતુ આ માટે તેઓએ સમગ્ર સેક્સ્યુઅલ એક્ટિવિટી સમજાવવાનું શરૂ કર્યું. તેમણે કહેવાનું શરૂ કર્યું કે પહેલા મહિલાઓ સરળતાથી ગર્ભવતી થઈ જતી હતી, જ્યારે હવે મહિલાઓ શિક્ષિત છે, તેઓ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં અલગ રીતે વર્તે છે. નીતીશ કુમારે આ સમગ્ર પ્રક્રિયાને જે સરળતા સાથે વર્ણવી છે તે લેખિતમાં વર્ણવી યોગ્ય નથી. નીતીશ કુમારે કહ્યું હતું કે જ્યારે તેમણે સત્તા સંભાળી ત્યારે વસ્તી વૃદ્ધિ દર 4.3 ટકા હતો પરંતુ કન્યા શિક્ષણમાં સુધારાને કારણે તે ઘટીને 2.9 ટકા થઈ ગયો છે. જ્યારે નીતીશ કુમાર તેમના અભિવ્યક્તિઓ સાથે આ બધું કહી રહ્યા હતા, ત્યારે તેમના મંત્રીમંડળના સાથીદારો પણ દંગ રહી ગયા હતા. કેટલાકે એકબીજા સામે જોઈને હસતા-હસતા મોંઢું છુપાવી રહ્યા હતા. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.