વાયનાડ પહોંચ્યા PM Modi, પહેલા સ્થળનું કર્યું હવાઈ નિરીક્ષણ અને પછી સ્થળ મુલાકાત, મળ્યા રાહત શિબિરોમાં રહી રહેલા લોકોને.. Rahul Gandhiએ કરી ટ્વિટ


  • Published By :
  • Published Date : 2024-08-10 16:02:34

કેરળના વાયનાડમાં કુદરતી આપદાએ તબાહી મચાવી છે.. ભૂસ્ખલનના અનેક વખત સમાચાર આપણી સામે આવ્યા છે.. અનેક લોકોના મોત આ ભૂસ્ખલનને કારણે થયા છે. અનેક લોકો મોતને ભેટ્યા જ્યારે અનેક લોકો લાપતા થઈ ગયા હતા.. રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી.. આર્મીના જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા.. વાયનાડમાં ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પીએમ મોદી આજે વાયનાડ ગયા છે. પહેલા હવાઈ નિરીક્ષણ કર્યું અને પછી ત્યાં હાજર લોકો સાથે વાત કરી હતી. 

રાહત શિબિરોમાં રહી રહેલા લોકો સાથે કરી મુલાકાત

વાયનાડની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. ઉપરાંત પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. શિબિર કેમ્પમાં રહેતા લોકો સાથે પણ તેમણે વાત કરી હતી.. આ બાદ અધિકારીઓ સાથે તે બેઠક પણ કરશે એવી માહિતી પણ સામે આવી છે.

રાહુલ ગાંધીએ કરી ટ્વિટ

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી વાયનાડની મુલાકાતે ગયા હતા. ત્યાં લોકો સાથે વાત કરી હતી. રાહુલ ગાંધીએ વાયનાડનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો. પીએમ મોદી આજે વાયનાડની મુલાકાત લેવાના હતા તેને લઈ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી છે. - PM મોદીનો વાયનાડ જવાનો નિર્ણય સારો છે. મને ખાતરી છે કે જ્યારે વડાપ્રધાન પોતે ભૂસ્ખલનથી થયેલા વિનાશને જોશે ત્યારે એને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરશે. મહત્વનું છે કે ભૂસ્ખલનને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહત કાર્ય માટે આર્મીના જવાનોને પણ મેદાને ઉતારવામાં આવ્યા હતા. આર્મીના જવાનો જ્યારે ત્યાંથી ગયા ત્યારે તેમને તાળીઓના ગડગડાટથી વિદાય લોકોએ આપી હતી.. 



ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.