PM Modiએ દેશવાસીઓને કરી અપીલ, કહ્યું 22 જાન્યુઆરીએ અયોધ્યા ન આવો કારણ કે.... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-30 17:56:08

22 જાન્યુઆરીનો દિવસ અનેક લોકો માટે ખાસ કરીને ભગવાન રામના ભક્તો માટે સામાન્ય દિવસ નહીં હોય. આ દિવસે ભગવાન રામની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. અયોધ્યામાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે. આ દિવસને ધ્યાનમાં રાખી અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં  આવી છે. પીએમ મોદી આજે અયોધ્યાના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે અનેક કરોડોની ભેટ આપી હતી. રેલવે સ્ટેશન, એરપોર્ટનું તેમણે ઉદ્ધાટન કર્યું છે.

 

22 જાન્યુઆરીએ થવાની છે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

પીએમ મોદીએ અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ, નવી ટ્રેનો તેમજ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ બધા વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે , "દરેક વ્યક્તિ ઈચ્છે છે કે 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં સામેલ થવા માટે પોતે અયોધ્યા આવે, પરંતુ દરેક વ્યક્તિ માટે આવવું શક્ય નથી. તેથી હું તમામ રામ ભક્તોને વિનંતી કરું છું કે એકવાર 22  જાન્યુઆરીના રોજ કાર્યક્રમનું આયોજન થાય તે પછી અયોધ્યા આવે." આ પછી, તેઓએ તેમની અનુકૂળતા મુજબ અયોધ્યા આવવું જોઈએ અને 22 જાન્યુઆરીએ અહીં આવવાનું મન બનાવવું જોઈએ નહીં."



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.