PM મોદી 10મી અને અમિત શાહ 4 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 12:25:38

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપાન નેતાઓની ગુજરાતની મુલાકાત પણ વધી રહી છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચુંટણી જંગ હોવાથી ભાજપના અગ્રણી નેતાઓનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. ભાજપનો મજબુત ગઢ ગણાતું ગુજરાત હાથમાંથી જાય તે ભાજપને કોઈ કાળે પોષાય તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય  ગૃહ મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદી આગામી 10મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 


PM ફરી એક વખત ગુજરાતની મુલાકાતે ?


અમદાવાદમાં 10મી સપ્ટેમ્બરે યોજાનાર વિજ્ઞાન અને ટેકનોલોજીના મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે. આ કોન્ફરન્સમાં 28 રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ ભાગ લેશે. સતત બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ પણ સામેલ થઈ શકે છે. આ પ્રસંગે 100થી વધુ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગો જગતના સીઈઓ પણ ઉપસ્થિત રહેશે.આગામી 11 સપ્ટેમ્બરના રોજ યુવા ભાજપનું એક વિશાળ સંમેલન અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાય તેવી સંભાવના છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપી શકે છે.



અમિત શાહ પણ આ સપ્તાહમાં આવશે ગુજરાત


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદમાં 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 15 વર્ષ બાદ યોજાનારી છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું ઉદ્ઘાટન અમિત શાહ કરશે. ઈકા ક્લબ કાંકરીયા ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં 19 રાજ્યોના 1031 અધિકારી અને જેલ કર્મચારી ભાગ લેશે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.