Sanatan Dharm વિશે નેતાઓએ શું બોલવું તેની સલાહ આપી PM Modiએ, સલાહ મળતા Smriti Iraniએ આપી પ્રતિક્રિયા, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-09-07 16:02:09

દેશમાં શું ચાલી રહ્યું છે? મોંઘવારી, બેરોજગારી, મણિપુરની હિંસા મુદ્દાને બાજુએ મૂકી G-20ની તૈયારી- દેશને કયા નામે બોલાવવું એના મતભેદ અને સનાતનને બીમારી ગણાવતા એક નેતાની ટિપ્પણી- જેના પર નેતાઓ અને મીડિયા કાગ આંખ રાખીને બેઠું છે, અને આવા સમયે ઈન્ડોનેશિયાના નાનકડા પ્રવાસે જતા પહેલા નરેન્દ્ર મોદીએ મંત્રી અને નેતાને થોડી સલાહ આપી હતી. તમિલનાડુના રમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિને વિવાદાસ્પદ નિવેદન બાદ અનેક રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે સ્મૃતિ ઈરાનીએ પણ સ્ટાલિનના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.  

પીએમ મોદીએ તમામ મંત્રીઓને આપી આ સલાહ 

G-20નું યજમાન ભારત દુનિયાભરના નેતાઓને આવકારવા તૈયાર છે, તેની કેટલાયે દિવસોથી તૈયારી ચાલી રહી છે, જો બાઈડનથી લઇ રિશી સુનક- એમ્યુનેલ મેક્રોન- જસ્ટિન ટ્રુડોવ સહિતના આંતરરાષ્ટ્રીય નેતાઓ દેશમાં પધારવાના છે, ત્યારે દેશમાં ચાલી રહેલી વિસંગતતા- કે વિવાદ પર કઈ રીતે વર્તવું કે બોલવું તે અંગે મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓને સલાહ આપી - તેમણે સનાતન પર થઇ રહેલી ટિપ્પણીઓને યોગ્ય રીતે સ્પષ્ટતા અને તર્ક સાથે વળતો જવાબ આપવાની છૂટ આપી છે, આ બાદ ઘણા નેતાઓએ સનાતન મુદ્દે વિપક્ષને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. 


ઈન્ડિયા અને ભારતના વિવાદ પર ન બોલવા માટે આપી સલાહ!

વધુમાં ઈન્ડિયા ના બદલે ભારતનો  વિવાદ ઉભો થયો છે તેમાટે પણ છે, બોલવામાં સંયમ વર્તવા કહ્યું છે, જી20ની બેઠક પર અધિકૃત વ્યક્તિ સિવાય કોઈપણ મંત્રી ન બોલે અને G20ના રાત્રિભોજનમાં આમંત્રિત કરાયેલ મુખ્યમંત્રીઓ તેમના કાફલા સાથે સંસદ ભવન પરિસર સુધી પહોંચશે અને ત્યાંથી બસોમાં બેસી વેન્યૂ સુધી પહોંચે એવા આદેશ એટલે કે સલાહ આપી છે. આમ બોલવા સાંભળવાની જે સલાહ મંત્રી પરિષદમાં આપી તેની માહિતી સૂત્રોના અહેવાલથી જાણવા મળી છે. મોદીજીના આ સનાતન મુદ્દેની સલાહ બાદ ઉદયનીધિ સ્ટાલિન જેમણે આ તણખા ઝરાવ્યા તેમણે પણ પોતાના નીવેદનમાં સ્પષ્ટતા આપતા અન્ય નેતાઓને જેમ કહી દીધું કે મારા નિવેદનનો ઊંધો મતલબ કાઢવામાં આવ્યો છે. 


સ્મૃતિ ઈરાનીએ પણ આપ્યો જવાબ 

સ્મૃતિ ઈરાનીએ પણ આ મામલે હવે ઝંપલાવ્યું છે. દિલ્હીના દ્વારકામાં જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આપણો અવાજ ત્યાં સુધી પહોંચવો જોઈએ જે લોકો સનાતન ધર્મને પડકાર આપી રહ્યા છે. જ્યાં સુધી ભક્તો જીવિત છે, ત્યાં સુધી કોઈ આપણા ધર્મ અને આસ્થાને પડકાર આપી શકશે નહીં. 


શું હતો સમગ્ર મામલો? 

સમગ્ર મામલાની વાત કરીએ તો થોડા દિવસ પહેલા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈ એક નિવેદન આપ્યું હતું જેને લઈ વિવાદ છેડાયો હતો. "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું." આ મામલે અલગ અલગ નેતાઓએ નિવેદન આપ્યું હતું ત્યારે આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ નિવેદન આપ્યું છે.   



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.