PM કિસાન યોજના માટે 60 હજાર કરોડ, 13 મા હપ્તાના રૂ 2 હજાર બેંક ખાતામાં ક્યારે ટ્રાન્સફર થશે?


  • Published By :
  • Published Date : 2023-02-03 18:45:51

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ માટે કેન્દ્ર સરકારે બજેટ 2023માં કુલ 60 હજાર કરોડની ફાળવણી કરી છે. હવે ખેડૂતો આ યોજનાના 13માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે 2023-24માં 13માં હપ્તાની રકમ આગામી કેટલાક દિવસોમાં ખેડુતોના ખાતામાં જમા થઈ જશે.


PM કિસાન સન્માન નીધી યોજના શું છે?


દેશભરમાં ખેડૂતોને આર્થિક મદદ માટે આ PM કિસાન સન્માન નીધી યોજના શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ દરેક ખેડૂતના ખાતામાં ત્રણ હપ્તામાં 6 હજારની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. દર હપ્તે ખેડૂતોના ખાતામાં 2 હજારની રકમ જમા કરાવવામા આવે છે.  આ પૂર્વે કેન્દ્ર સરકારે ઓગસ્ટ-નવેમ્બર 2022માં 10 લાખ ખેડૂતોને 12માં હપ્તા તરીકે 8 કરોડ રૂપિયા જાહેર કરાયા હતા.  


આ મહિનામાં 13મો હપ્તો જમા થશે


હવે ખેડૂતો ડિસેમ્બર-માર્ચ ક્વાર્ટરમાં આવતા 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. બજેટ 2023-24માં પીએમ કિસાન યોજનાના ફંડની જાહેરાત સાથે, તે સંભાવના પ્રબળ બની છે કે ફેબ્રુઆરી 2023ના પહેલા પખવાડિયા સુધીમાં ખેડૂતોને હપ્તાના રૂપમાં રકમ જારી કરવામાં આવી શકે છે. આવું એટલા માટે પણ છે કારણ કે બિહાર સહિત ઘણા રાજ્યોએ લાભાર્થી ખેડૂતોને તેમના ખાતાના ઇ-કેવાયસી પૂર્ણ કરવા માટે 28 જાન્યુઆરી, 2023 ની છેલ્લી તારીખ આપી હતી, જે હવે સમાપ્ત થઈ ગઈ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.