આનંદો, ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયો PM કિસાન યોજનાનો 13મો હપ્તો


  • Published By :
  • Published Date : 2023-02-27 17:54:05

ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે, આખરે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો 13મો હપ્તો આવી ગયો છે. પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને હોળી પહેલા એક મોટી ભેટ આપતાં કર્ણાટકના બેલાગવીમાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિના 13મો હપ્તો બહાર જમા કરવ્યો હતો.પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ 16,800 કરોડની રકમ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી છે. ખેડૂતોના ખાતામાં 2,000ની રકમ જમા થઈ ગઈ જતા ચોક્કસપણે તેમણે રાહતની લાગણી અનુભવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે મોદી સરકારે અત્યાર સુધીમાં 11 લાખ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા છે. 


ખેડૂતો તેમનું નામ કઈ રીતે ચેક કરે?  


1. સૌથી પહેલા તમે PM કિસાન વેબસાઈટ https://pmkisan.gov.in/ જઈ શકો છો.


2. આ પછી, "ડેશબોર્ડ" ભારતના નકશા સાથે સ્ક્રીન પર દેખાશે. તેના પર ક્લિક કરો.


3. આ પછી, તમારા સંબંધિત રાજ્ય, જિલ્લા અને ગામની પસંદગી કરો.



યોજનાનો લાભ લેવા E-KYC અનિવાર્ય

 

ખેડૂતો જો PM કિસાન (પીએમ કિસાન) યોજનાના લાભાર્થી છે પણ જો હજી સુધી તમારું E-KYC કર્યું નથી, તો 13 મા હપ્તાના પૈસા તમારા ખાતામાં આવશે નહીં. માટે આ સ્કીમ માટે તમારે પણ શક્ય તેટલી વહેલી તકે તમારું E-KYC કરાવી લેવું અનિવાર્ય છે.


E-KYC શા માટે?


કેન્દ્ર સરકારે આ યોજનામાં કોઈપણ પ્રકારની છેતરપિંડીને રોકવા માટે E-KYC ફરજિયાત બનાવ્યું છે. પીએમ કિસાન યોજનાના જે લાભાર્થીઓએ પોતાનું ઇ-કેવાયસી કર્યું નથી, તેઓ 13મા હપ્તાના લાભથી વંચિત રહેશે. એટલે કે 13માં હપ્તાના પૈસા તેમના ખાતામાં નહીં આવે. આવી સ્થિતિમાં, તમે શક્ય તેટલી વહેલી તકે નજીકના જાહેર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આ યોજના માટે ઓનલાઇન ઇ-કેવાયસી કરી શકો છો.


ખેડૂતોના હિતાર્થે શરૂ કરાઈ યોજના


પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જુન 2019માં ખેડૂતોના હિત માટે કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન યોજના) હેઠળ ખેડૂતોને 3 હપ્તામાં 2-2 હજારના હપ્તા લેખે વર્ષે 6,000 રુપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. જે સીધી તેમના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધી પીએમ કિસાન યોજનાના 13 હપ્તા આવી ચૂક્યા છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!