PM આવાસ યોજના માટે બજેટમાં કરાઈ આ મોટી જાહેરાત, શું પોતાના ઘરનું સપનું થશે સાકાર?


  • Published By :
  • Published Date : 2023-02-01 17:32:52

મોદી સરકારની બીજી ટર્મનું છેલ્લું પૂર્ણ બજેટ નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે રજુ કર્યું હતું. કેન્દ્રીય નાણામંત્રીએ તેમના બજેટમાં અનેક મહત્વની જાહેરાતો કરી હતી. જેમાં સૌથી મહત્વની જાહેરાત  પીએમ આવાસ યોજના અંગે છે. પીએમ આવાસ યોજના માટે 79,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ રકમથી યોજના સાથે જોડાયેલા લોકોને પાકા મકાનો મળવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે.


પીએમ આવાસ યોજનાથી કોને લાભ?


પીએમ આવાસ યોજના ગાંમડાં અને શહેરી ગરીબોને ઘરનું ઘર આપવાનો છે. 3 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા ગરીબ પરિવારો અને 6થી 12 લાખની આવક ધરાવતા મધ્યમ વર્ગના લાભાર્થીઓ માટે આ યોજના પીએમ મોદી દ્વારા 25 જુન 2015ના દિવસે શરૂ કરવામાં આવી હતી. નાણામંત્રીએ આ યોજનામાં ફાળવણી 66 ટકા વધારીને 79,000 કરોડ રૂપિયાથી વધુ કરી દીધી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.