સાધનામાં લીન થયેલા PM Modiને એટલી વિનંતી કે રાજકોટના મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પણ પ્રાર્થના કરજો...


  • Published By :
  • Published Date : 2024-06-01 11:39:26

ગઈકાલથી પીએમ નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ રોક મેમોરિયલમાં સાધના કરી રહ્યા છે... 45 કલાક તેઓ તપ કરવાના છે.. ધ્યાન કરવાના છે... સોશિયલ મીડિયા પર પીએમ મોદી ધ્યાન કરતા હોય, સૂર્યની ઉપાસના કરતા હોય તેવા અનેક વીડિયો તેમજ ફોટોઝ આપણે જોયા છે.. સોશિયલ મીડિયા પર ગઈકાલે પીએમ મોદીના તપની ચર્ચા થઈ.. ચૂંટણી પ્રચારની વ્યસ્તતા બાદ પીએમ મોદી ધ્યાન કરવા, મનને શાંત કરવા, દેશની ઉન્નતી થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે... પીએમ મોદીના અનેક વીડિયો નેતાઓએ શેર કર્યા છે.. 



પીએમ મોદીને એટલી વિનંતી કે પોતાની પ્રાર્થનામાં..  

ત્યારે પીએમ મોદીને ગુજરાત વતી એટલી વિનંતી કરવી છે કે પોતાની પ્રાર્થનામાં રાજકોટમાં જે લોકો મોતને ભેટ્યા તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરે.. તેવી પ્રાર્થના પણ કરે કે મૃતકોના પરિવારને આ દુ:ખ સહન કરવાની હિંમત પણ આપે.. તેવી પ્રાર્થના પણ પીએમ મોદી કરે કે આ ઘટનાના જે દોષિત છે તેમને છોડવામાં ના આવે.. થોડા સમય બાદ દોષિતો છૂટી ના જાય તે માટે પણ પ્રાર્થના પણ કરજો.. પીએમ મોદીને રાજકોટ વાસીઓ આટલી પ્રાર્થના કરતા હશે..



ગુજરાતમાં પીએમ મોદી માટે વપરાય છે પનોતા પુત્રનું સંબોધન      

પીએમ મોદી જ્યારે ગુજરાત આવે છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર કહીને સંબોધીએ છીએ.. પીએમ મોદી ગુજરાતના પુત્ર છે.. જ્યારે ગુજરાતીમાં પીએમ બોલે ત્યારે અનેક લોકોને ખુશી થાય કે ગુજરાતનો દીકરો પીએમ પદને શોભાવે છે.. ભલે સામાન્ય લોકોને પીએમ  મોદી સાથે ડાયરેક્ટ લેવા દેવા નથી પરંતુ તો પણ દિલના કોઈ ખુણામાં તેમને લાગે કે આપણો ગુજરાતી દેશની કમાન સંભાળી રહ્યો છે.. લોકોને આશા હોય છે કે ગુજરાતમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો પીએમ મોદી ગુજરાત આવી સાંત્વના વ્યક્ત કરશે.. 


 


રાજકોટથી થઈ હતી પીએમ મોદીના રાજકીય કારકિર્દીની શરૂઆત... 

પરંતુ રાજકોટમાં બનેલી દુર્ઘટના માટે પીએમ મોદીએ માત્ર સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.. ગુજરાતના લોકો, રાજકોટની જનતા પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છે કારણ કે રાજકોટથી જ તેમણે પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.. સત્તાના શિખર સુધી પહોંચ્યા બાદ કદાચ તેઓ ભૂલી ગયા હશે કે તેઓ ગુજરાતી છે અને ગુજરાતની જનતાએ તેમને આગળ વધાર્યા છે.. રાજકીય કારકિર્દીના ઉચ્ચ શિખર પર પહોંચેલા પીએમ મોદીને પહેલાં પગથિયે હોમાઈ ગયેલી જિંદગીઓ કદાચ તેમને નહીં દેખાતી હોય.. મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ કદાચ રાજકોટની મુલાકાત લઈ શકે છે તેવું લાગી રહ્યું છે... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.