Rajkotમાં પૂલ પહોળો કરવા પીલર નખાયા,મનપાએ ચેકિંગ કર્યું તો ભ્રષ્ટાચારની ખુલી પોલ, ભ્રષ્ટાચારીઓની વધતી હિંમત પાછળ નાગરિકોનું મૌન પણ જવાબદાર!


  • Published By :
  • Published Date : 2023-08-10 10:23:04

પુલ ધરાશાયી થવા, રસ્તા પર ખાડા પડવા, નિર્માણાધીન બ્રિજ, પુલ તૂટી જવો જેવી ઘટના તો આજકાલ બનવી જાણે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગે છે. આવા સમાચારો અવાર-નવાર સામે આવી રહ્યા છે. ત્યારે એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. રાજકોટના મોટામૌવા પાસે પુલની બંને બાજુને પહોળી કરવાની છે જેના માટે ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે. 13 કરોડના ખર્ચે પુલ પહોળો બનાવવાની કામગીરી થઈ રહી છે. આ કામગીરીમાં ફરિયાદ મળી કે હજુ તો પિલર જ બનાવવામાં આવ્યા છે અને એમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તો બ્રિજ બનીને તૈયાર થાય તો કેટલો ભ્રષ્ટાચાર થશે? 

પિલરના નિર્માણમાં સામે આવ્યું ભ્રષ્ટાચારનું કૌભાંડ! 

આ ફરિયાદ મળતા જ રાજકોટ મહાનગરપાલિકાની ટુકડી પહોંચી ગઈ હતી તપાસ કરવા કે ભ્રષ્ટાચારની ફરિયાદ મળી છે તે સાચી છે કે નહીં. ત્યાં જઈને તપાસ કરવામાં આવી તો ખબર પડી કે પુલ બનાવવા માટે હજુ પિલર નખાયા છે તેમાં બેકબેન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ભયાનક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાએ મામલો દબાવીને રફેદફે કરવાની જગ્યાએ બેકબેન કન્સ્ટ્રક્શન કંપનીના 3 પિલર તોડી પાડવાના આદેશ આપી દીધા. ભ્રષ્ટાચારી પુલ બનાવાયા હવે તેને તંત્રની બાજ નજરના કારણે ખબર પડી અને હવે તેને તોડવામાં આવે, ચારેય પિલર ફરીથી બનાવામાં આવશે. 


કોના બાપની દિવાળી?    

હવે વિચાર કરો કે જે રૂપિયાથી પુલના પિલર બન્યા એ કોના રૂપિયાથી બન્યા હતા? તૂટવાના છે એ કોના રૂપિયાની સહાયથી તૂટવાના છે? ફરી પાછા નવા બનશે એ કોના રૂપિયાથી બનશે? અમે મનપાની કામગીરી પર પણ કોઈ પ્રશ્નો નથી કરતા કારણ કે તે ઈચ્છતી તો મામલો દબાવતી હતી અને રફેદફે કરી શકતી હતા પણ તેણે સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર થયો છે અને કોંક્રિટના નમૂના લેબોરેટરીમાં મોકલાવાયા. જેમાં ખબર પડી કે પીલારનું ગ્રેડિંગ 35 હોવું જોઈએ જે લેબોરેટરીમાં 30 જ મળ્યું હતું. આ ઘટનાના કારણે હવે સાંકડો પૂલ પહોળો કરવા માટે ફરી પિલાર નખાશે અને પછી તેના પર પુલ લંબાવાશે. 


ખરાબ રસ્તા પરથી પ્રશ્ન પૂછ્યા વગર પસાર થઈ જાય છે નાગરિક  

તમે માનો કે ન માનો પણ રસ્તામાં પડતા ખાડા, બિસ્કિટની જેમ તૂટી જતાં બ્રિજ, ટ્રાફિક ઓછો કરવા માટે બનાવવામાં આવતા ઓવરબ્રિજમાં પડતી તિરાડો, સહિતની વસ્તુઓ બનાવવામાં ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર જેટલા જવાબદાર છે તેટલા જ જવાબદાર રસ્તા પરથી પસાર થતો સામાન્ય નાગરિક પણ છે. તમને સવાલ થતો હશે કે અમારા ટેક્સ રૂપિયાની આ બધી વસ્તુ બને છે એમાં અમે કેવી રીતે ભ્રષ્ટાચાર કરી શકાત હોઈએ છીએ. 

નાગરિકોનું મૌન ભ્રષ્ટારીઓને આપે છે બળ!

બરોબર સવાલ હોઈ શકે તમારો પણ જેમ અત્યારે મનમાં સવાલ ઉભો થયો એમ જ્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય ત્યારે એ સવાલ ઉભો કેમ નથી થતો? એ સવાલ ઉભો નથી થતો અને તમે ગાડી લઈને ઉબડ ખાબડ રસ્તા પર કે તીરાડ પડતા ઓવરબ્રિજ કે તૂટી જતા બ્રિજ પાસેથી પસાર થઈ જાવ છો. એટલા માટે ભ્રષ્ટાચાર થાય છે કારણ કે તમારી સવાલ પૂછવાની હિંમત કોઈ નથી કરતું. મારૂ શું, મારે કેટલા ટકા એમ વિચારી આપણે આગળ વધી જતા હોઈએ છીએ. આપણા દ્વારા રાખવામાં આવતા મૌનને કારણે સામે વાળા વ્યક્તિને ભ્રષ્ટાચાર કરતા પ્રેરે છે કારણ કે એને ખબર છે કે હું ગમે તે કરું લોકો તો કંઈ પૂછવાના છે જ નથી તો પછી ડર શેનો....માનનીય પ્રજા જે એ પુલની નજીકથી સડસડાટ પસાર થઈ જાય છે. ખાડાખાબોચિયા વાળા રસ્તા પરથી વાહન તારવીને નીકળી જાય છે પણ કોઈ પ્રશ્નો નથી પૂછતો. જો આપણે હમણા પ્રશ્ન નહીં પૂછીએ તો આવનારી પેઢી તો બિલકુલ આ અંગે વિચારવાનું બંધ કરી દેશે.. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!