ન્યૂઝ ચેનલોને રેગ્યુલેટ કરવાની PIL Supreme Court પહોંચી, અરજી ફગાવતા SCએ કહ્યું કે 'જો તમને પસંદ નથી તો....'


  • Published By :
  • Published Date : 2023-08-09 11:58:42

મીડિયાને લોકતંત્રનો ચોથો પાયો માનવામાં આવે છે. સમાજમાં મીડિયાનો એક મહત્વપૂર્ણ ફાળો છે, સમાજમાં, દેશમા બનતા કિસ્સાઓ લોકો સુધી સમાચાર પહોચાડવા. ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેમાં ટેલિવિઝન ન્યુઝ ચેનલોને રેગ્યુલેટ કરવામાં આવે તેવી અરજકર્તાની માગ હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ ચેનોલો પર બતવાતા કન્ટેન્ટ ખૂબ ઘાતક છે, તેથી તેના માટે કડક નિયમો બનાવવામાં આવે. આ અરજી સુપ્રીમ કોર્ટ પહોંચી અને આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો. ન્યુઝ ચેનલોને લઈ એક નહીં પરંતુ બે અરજી કરવામાં આવી પરંતુ બંને અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો. 

Supreme Court directs all states, UTs to register cases against those  making hate speeches even without any complaint : The Tribune India

અરજકર્તાઓની અરજી પર વિચારણા કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈન્કાર 

આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી ઉપરાંત સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દર્શકોને આ ચેનલો જોવી કે ન જોવી તે પસંદ કરવાની સ્વતંત્રતા છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જસ્ટિસ અભય ઓકાના નેતૃત્વ હેઠળની બેન્ચે ટિપ્પણી કરતા કહ્યું હતું કે મીડિયા ચેનલોની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે અને ઉમેર્યું હતું કે દર્શકો આવી ચેનલો જોવાનું છોડી દે. અરજીઓમાં ચેનલો પર પ્રસારિત થતી સામગ્રી સંબંધિત ફરિયાદ નિવારણ માટે સ્વતંત્ર બોર્ડની પણ માંગ કરવામાં આવી હતી.


'તમે સ્વતંત્ર, ન પસંદ હોય તો રિમોટ તમારા હાથમાં છે...'

વધુમાં ઉમેર્યું કે "તમને આ બધી ચેનલો જોવા માટે કોણ મજબૂર કરે છે? જો તમને તે ગમતી નથી, તો પછી તેને જોશો નહીં. જ્યારે કોઈ ખોટી વસ્તુ બતાવવામાં આવે છે, તે દ્રષ્ટિ વિશે પણ છે. શું અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી? ભલે આપણે કહીએ કે મીડિયા ટ્રાયલ નથી. , અમે ઇન્ટરનેટ અને બધી બાબતોને કેવી રીતે રોકી શકીએ? અમે આવી પ્રાર્થના કેવી રીતે મંજૂર કરી શકીએ? કોણ તેને ગંભીરતાથી લે છે, અમને કહો? ટીવીનું બટન દબાવવાની પૂર્ણ સ્વતંત્રતા છે" જસ્ટિસ ઓકાએ કહ્યું, જેમ બાર અને બેંચ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે.

    

સુપ્રીમ કોર્ટમાં આ લોકોએ કરી હતી પીઆઈએલ 

સુપ્રીમ કોર્ટમાં જે અરજી ફગાવવામાં આવી તેની પીઆઈએલ દિલ્હી સ્થિત વકીલ રીપક કંસલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ પીઆઈએલમાં તેમણે સ્વતંત્ર નિયમનકારી સત્તાની રચનાની માંગ કરી હતી અને જે બીજી પીઆઈએલ હતી તે  ફિલ્મ નિર્માતા નિલેશ નવલખા અને કાર્યકર્તા નીતિન મેમાણે દ્વારા કરવામાં આવી હતી  જેમણે મીડિયા ટ્રિબ્યુનલની સ્થાપનાની માંગ કરી હતી. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!