PI Taral Bhattની ચર્ચા છેક ગાંધીનગર સુધી, સાઇબર ક્રાઇમના એક્ષ્પર્ટ PI તોડ કરવામાં પણ એક્ષ્પર્ટ!


  • Published By :
  • Published Date : 2024-01-30 15:17:58

ગુજરાતમાં નકલી અધિકારીઓએ તોડકાંડ કર્યા હોવાના તો ઘણા કિસ્સા છેલ્લા એકાદ વર્ષમાં સામે આવી ચૂક્યા છે, પરંતુ આજકાલ એક અસલી પોલીસ-ઇન્સ્પેક્ટરનું નામ તોડકાંડમાં એ હદે ઊછળ્યું, જેની નોંધ છેક ગાંધીનગર સુધી લેવાઈ છે. અને એવું પણ કહેવાય રહ્યું છે કે આ પીઆઇ પોલીસને જ ધંધે લગાડી વિદેશ ભાગી ગયા છે..



તરલ ભટ્ટ પર લાગ્યા છે અનેક આક્ષેપો! 

અહીંયા વિવાદિત પીઆઇ તરલ ભટ્ટની વાત કરવામાં આવી રહી છે. જે પીઆઇ પર અત્યાર સુધી તોડ કરવાના કેટલાય આક્ષેપો લાગી ચુક્યા છે. અને તાજેતરમાં જ લાખો-કરોડોના વ્યવહાર થયા હોય તેવા બેંક અકાઉન્ટ્સ ફ્રીઝ કરાવીને મોટી રકમનો તોડ કરવાના કથિત કાંડમાં તેમનું નામ આવ્યું છે. 



એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે લીધા લાખો રૂપિયા! 

આજકાલ ગુજરાતના પોલીસબેડાથી લઈને રાજકારણીઓમાં તરલ ભટ્ટ ખૂબ ચર્ચાસ્પદ બન્યા છે. કહેવાય છે કે આ અધિકારી લાખો રૂપિયા વગર તો વાત પણ નથી કરતા! છેલ્લે માણાવદરમાં સર્કલ પીઆઈ હતા. કેરળના કાર્તિક ભંડારી નામની એક વ્યક્તિનું જાણી જોઈને બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા પછી આ એકાઉન્ટ અનફ્રીઝ કરવાના નામે લાખો રૂપિયાના તોડકાંડનો આરોપ લાગ્યો છે. જેને લઈને બે પીઆઇ અને એક ASI પર ફરિયાદ નોંધાઈ છે. હાલ તો તરલ ભટ્ટ સહિત ત્રણ પોલીસકર્મી ભૂગર્ભમાં ઊતરી ગયા છે.


સાયબર ક્રાઈમને લગતા કેસને ઉકેલવામાં બન્યા હતા એક્ષ્પર્ટ   

તરલ ભટ્ટ સાયબર ક્રાઇમમાં હોશિયાર ગણાય છે. PI તરલ ભટ્ટએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી BAનો અભ્યાસ કર્યો છે. ફેબ્રુઆરી, 2008માં તરલ ભટ્ટ ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા. નોંધવા જેવી વાત એ છે કે તરલ ભટ્ટે ભલે આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યુ હતું, પરંતુ આગળ જતાં સાયબર ક્રાઇમને લગતા ગુના ઉકેલવામાં તે એક્ષ્પર્ટ બની ગયા. અમદાવાદના પોલીસબેડામાં આજે પણ વાતો થાય છે કે સાયબર ફ્રોડના ગુના બને કે પછી ટેક્નિકલ રીતે કોઈને ગુનો ઉકેલવો હોય તો તરલ ભટ્ટનું નામ પણ મોઢે આવે.



જૂનાગઢમાં રાતોરાત કરવામાં આવી બદલી

તરલ ભટ્ટ અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચમાં તૈનાત હતા ત્યારે તેમના પર 1800 કરોડ રૂપિયાના એક સટ્ટા કૌભાંડમાં મોટો તોડ કરવાનો આક્ષેપ થયો હતો, અને આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેમની વિરૂદ્ધ તપાસ પણ શરૂ કરાઈ હતી અને આ સિવાય બીજા પણ કથિત આક્ષેપો લાગેલા છે. ત્યારબાદ તેમની રાતોરાત જુનાગઢ બદલી કરી દેવાઈ હતી. જોકે, જુનાગઢ પહોંચીને પણ તરલ ભટ્ટે પોતાના જૂના સંપર્કો દ્વારા જેમાં સટ્ટાની રકમની લેવડ-દેવડ થતી હોય તેવા બેંક અકાઉન્ટ્સની માહિતી મેળવીને તોડપાણીનું એક નવું જ પ્રકરણ શરૂ કર્યું હતું તેવો સૂત્રોનો દાવો છે. પોલીસે વગર કોઈ ફરિયાદે 335 અકાઉન્ટ્સ બ્લોક કરાવી દીધા અને કથિત રીતે તોડ કરવાનું શરૂ કર્યું હતું. 


આવી રીતે બહાર આવ્યો હતો સમગ્ર મામલો

કાયદા અનુસાર, પોલીસ જે કેસમાં FIR દાખલ થઈ હોય તેમાં જ બેંક અકાઉન્ટને ફ્રીઝ કરાવવાની સત્તા ધરાવે છે, પરંતુ જુનાગઢ પોલીસના આ કાંડમાં કોઈ ફરિયાદ નોંધાઈ જ નહોતી અને તેના વગર જ 335 બેંક અકાઉન્ટ્સને ફ્રીઝ કરાવી દેવાયા હતા. જેમાં કેરળના એક વ્યક્તિનું એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યું હતું. જુનાગઢ સાયબર ક્રાઈમના ASI જાનીએ કેરળથી આવેલા યુવકને એવું કહ્યું હતું કે અમદાવાદ- ગાંધીનગરની પોલીસ દ્વારા જે અકાઉન્ટ્સ ફ્રીઝ કરાવાય છે તેને અનફ્રીઝ કરાવવા 20-25 લાખ રૂપિયા કે પછી ખાતામાં જમા પડેલી રકમના 80% લેવામા આવે છે.જે બાદ તેઓ પોલીસના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા જે બાદ આખો ભાંડો ફૂટ્યો હતો. આ પોલીસ ઇન્સ્પકેટરે પોતાની કાબિલિયતનું પ્રદર્શન જ્યાં કરવાનું હતું ત્યાં ના કર્યું જેના કારણે આ પાપનો ઘડો છલક્યો અને પીઆઇને રેલો આવ્યો છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!