Ayodhya Ram મંદિરની તસવીરો આવી સામે, અલૌકિક અને ભવ્ય મંદિરના ઘર બેઠા કરો દર્શન, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2024-01-09 11:50:19

અયોધ્યા... આ શબ્દમાં પણ શ્રદ્ધા છુપાઈ છે તેવી લાગણી અનુભવાતી હોય છે. ભગવાન રામ સાથે લાખો ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. નવ નિર્મિત મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. આ કાર્યક્રમમાં સામેલ થવા દેશ-વિદેશથી મહેમાનો આવવાના છે. સાધુ સંતો, મઠાધીશ્વરો, અભિનેતાઓ, મોટી હસ્તીઓ સામેલ થવાની છે. આ બધા વચ્ચે રામ મંદિરની વિશેષતાઓ સામે આવી છે. રામ મંદિરની અનેક તસવીરો, વીડિયો સામે આવ્યા છે.

 



રામ મંદિરની પ્રથમ ઝલક આવી સામે 

અનેક દાયકાઓ બાદ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થવાના છે. જે જગ્યા પર રામ ભગવાનનો જન્મ થયો હતો તે જગ્યા પર ભગવાન રામનું મંદિરનું નિર્માણ થવાનું. આ મંદિરને લઈ અનેક આંદોલનો થયા, કોર્ટ સુધી વાત પહોંચી અને તે બાદ ચૂકાદો આવ્યો. તે આખી વાત આપણે જાણીએ છીએ. ભગવાન રામ મંદિરમાં બિરાજમાન ક્યારે થશે તે ક્ષણની તેમના ભક્તો આતુરતાથી રાહ જોતા હતા. રામ લલ્લાની મૂર્તિની જ્યારે મંદિરમાં સ્થાપના થશે ત્યારે અનેક ભક્તોની આંખોમાં આંસુ હશે. ભક્તોને આતુરતા હતી કે રામ મંદિર કેવું લાગતું હશે, તેની ઝાંખી જોવા માટે ભક્તો આતુર હતા ત્યારે તે આતુરતાનો અંત આવ્યો છે. મંદિરના ફોટોઝ, વીડિયો સામે આવ્યા છે જેમાં મંદિર કેવું છે તેના બતાવવામાં આવ્યું છે. 


Image

મંદિરની શું છે વિશેષતાઓ? 

અયોધ્યામાં બની રહેલું રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. નાગર શૈલીને ઉત્તર ભારતીય મંદિર શૈલી કહેવામાં આવે છે. મંદિરની લંબાઈ 380 ફીટ છે, ઉંચાઈ 161 ફીટ છે, પહોળાઈ 250 ફીટ છે. મંદિરમાં કુલ ત્રણ માળ હશે. 392 કુલ સ્તંભ અને 44 દ્વાર હશે તેવી માહિતી સામે આવી છે. મંદિરના ગર્ભ ગૃહમાં ભગવાન રામનું બાળ સ્વરૂપ બિરાજમાન હશે. જે વીડિયો સામે આવ્યો છે તે જોઈ કદાચ તમારી આંખો પણ ખુશીના આંસુ આવી શકે છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.