PGVCL : ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ નાં ઉમેદવારોનું આંદોલન બીજા દિવસે પણ યથાવત! આ કારણોસર પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે વિરોધ!


  • Published By :
  • Published Date : 2024-02-02 16:45:50

ફરી એકવાર વિધ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે પણ આ વખતે ગાંધીનગરમાં નહીં રાજકોટમાં વિધ્યાર્થીઓ બે દિવસથી કચેરી આગળ આંદોલન પર છે પરીક્ષા લીધી પણ નિમણૂક કરવામાં નથી આવતી તેવા આક્ષેપ થઈ રહ્યા છે. 

આટલા ઉમેદવારોએ આપી હતી પરીક્ષા!

સૌરાષ્ટ્રમાં PGVCLકંપનીમાં વીજ હેલ્પરની પરીક્ષા આપી છતાં ભરતી ના કરવામાં આવી જેના કારણે વિધ્યાર્થીઓમાં રોષ છે. રાજકોટ PGVCL કચેરી દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 6,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ બે દિવસથી ધરણાં પર છે. 

ગઈકાલથી ઉમેદવારો ભૂખ્યા પેટે નોંધાવી રહ્યા છે વિરોધ!

ગુજરાતમાં અનેક ભરતીઓ નથી કરવામાં આવતી જેને લઈ ઉમેદવારો, પરીક્ષાર્થીઓ વિરોધ કરતા હોય છે! પરીક્ષા તો આપી છતાંય સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં વીજ હેલ્પરની નિમણૂક કરવામાં આવતી ના હોવાનો આરાજદારોનો આક્ષેપ છે. ગઈકાલથી પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. અનેક જગ્યાઓ ખાલી હોવા છતાંય PGVCL કંપનીમાં GSO 4 મૂજબ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી કરવામાં નથી આવતી. આજે બીજા દિવસે પણ પરીક્ષાર્થીઓના ધરણા યથાવત જોવા મળ્યા છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.