કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીની અપીલ, ઓઈલ કંપનીઓ ભાવ અને રાજ્ય સરકારો વેટ ઘટાડે


  • Published By :
  • Published Date : 2023-01-22 21:17:31

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. દેશમાં વધેલી મોંઘવારી માટે પણ લોકો પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને જ કારણભુત માને છે. જો કે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકોને રાહતના સમાચાર આપ્યા છે. દેશમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. છેલ્લા ઘણા સમયથી બન્ને ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. પરંતુ હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ ઓઈલ કંપનીઓને ભાવ ઘટાડવાની અપીલ કરી છે. 


પેટ્રોલિયમ કંપનીઓ ભાવ ઘટાડે


કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે રવિવારે (22 જાન્યુઆરી) ઓઈલ કંપનીઓને ઈંધણના ભાવ ઘટાડવાની અપીલ કરી હતી. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે હું ઓઈલ કંપનીઓને વિનંતી કરું છું કે જો ઈન્ટરનેશનલ સ્તરે ઓઈલ પ્રાઈસિસ કન્ટ્રોલમાં હોય અને તેમની કંપનીની રિકવરી પૂરી થઈ હોય તો તેમણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા જોઈએ. આ સાથે તેમણે વેટ ન ઘટાડવા માટે રાજ્ય સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે કેન્દ્રની વિનંતી છતાં કેટલીક રાજ્ય સરકારોએ વેટ ઘટાડ્યો નથી અને તેના કારણે પણ તેલના ભાવ હજુ પણ ઊંચા છે. તેમણે મોદી સરકારની પ્રસંશા કરતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવા છતાં અમે તેલના ભાવને મેનેજ કરી શક્યા છીએ, કારણ કે કેન્દ્રએ નવેમ્બર 2021 અને મે 2022ના રોજ એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો.


વિદેશમાં ભાવ વધ્યા પણ ભારતમાં સ્થિર


પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના જણાવ્યા પ્રમાણે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં આવતું ઈંધણની કિંમત ડિસેમ્બર 2021થી ડિસેમ્બર 2022 દરમિયાન 3 ટકા વધી છે. તેમણે માહિતી આપી કે આ દરમિયાન અમેરિકામાં ડીઝલ 34 ટકા મોંઘુ થઈ ગયું છે. તે જ પ્રકારે કેનેડામાં તેનો 36 ટકા ભાવ વધ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.