પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે ઘટશે? પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કર્યો આ ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-06-11 15:18:17

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક વર્ષથી પણ વધુ સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે હવે પરિસ્થિતી બદલવાની છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે જો ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રહી તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો રહે છે તો તે ઘટાડાનો નિર્ણય કરી શકે છે. જો કે પુરીએ તેમ કહ્યું  કે જો આગામી ત્રણ મહિનામાં આ કંપનીઓનું આર્થિક પર્ફોર્મન્સ સ્થિર રહે છે તો તે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવાની સારી સ્થિતીમાં હશે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે હાલ તો તે આ મામલામાં કોઈ પણ પ્રકારની જાહેરાત કરવાની સ્થિતીમાં નથી. 


ગત વર્ષે સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી


ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લે ગયા વર્ષે એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો હતો. મે મહિનામાં કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. ત્યાર પછી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા અને કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તે પછી આવતા વર્ષે દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.