મોંઘા પેટ્રોલ-ડીઝલથી ચિંતિંત છો? હજુ 6 મહિના સુધી નહીં મળે રાહત, જાણો કારણ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 14:17:29


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ભારતમાં પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીએ ઘણા લોકોનું બજેટ બગાડ્યું છે. લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના મોંઘા ભાવને કારણે લોકોને તેમના અન્ય ઘણા ખર્ચાઓમાં કાપ મૂકવો પડી રહ્યો છે. જો તમે પણ આગામી થોડા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા રાખી રહ્યા છો, તો તમે ચોક્કસપણે નિરાશ થશો. એવું લાગી રહ્યું છે કે આગામી 6 મહિના સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા નથી. 


OPECની ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપની જાહેરાત


ઓર્ગેનાઈઝેશન ઓફ ઓઈલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ (OPEC) એ ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે, જેથી કરીને પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમત જળવાઈ રહે. OPEC દેશોના આ નિર્ણય પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત વધવા લાગી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડાની આશા પર પાણી ફરી વળ્યું છે.


ભારત 85% ક્રૂડની આયાત કરે છે


હવે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થવાની સંભાવના છે. થોડી કસર બાકી રહી હતી તે અમેરિકાના ડોલર સામે રૂપિયાની નબળાઈએ પુરી કરી દીધી છે. ભારત તેની ક્રૂડની જરૂરિયાતના 85% આયાત કરે છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફારની સીધી અસર દેશમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ પર પડે છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.