પાકિસ્તાનમાં 290 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું પેટ્રોલ, સરકારે અડધી રાતે ભાવ વધારો કરતા હાહાકાર


  • Published By :
  • Published Date : 2023-08-16 17:48:23

પાકિસ્તાનમાં વચગાળાની સરકારે ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરતા હાહાકાર મચી ગયો છે. આઝાદીની ઉજવણી બાદ કિંમતોમાં વધારો કરાતા લોકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. સરકારે  પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં 20 રૂપિયા પ્રતિ લિટરની વૃધ્ધી કરી છે. આ પાકિસ્તાનના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો છે.    


 આજથી ભાવ વધારો અમલી


પાકિસ્તાનમાં નવા ભાવ વધારા બાદ પેટ્રોલ  17.50 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ સ્પિડ ડીઝલના ભાવમાં 20 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. નવી કિંમતો આજથી અમલી બની છે. આ ભાવ વધારા બાદ પેટ્રોલ 290.45 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 293 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે. આ અગાઉ 1 ઓગસ્ટના દિવસે પણ પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 19 રૂપિયાનો વધારો કર્યો હતો.    


અર્થતંત્ર બેહાલ સ્થિતીમાં


પાકિસ્તાનમાં હાલ આર્થિક નાદારીનો સામનો કરી રહ્યું છે. કોવિડ-19 મહામારી, યુક્રેન-રશિયા યુધ્ધ, પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઉછાળો તથા દેશવ્યાપી ભયાનક પૂરના કારણે પાકિસ્તાનના અર્થતંત્રની કમર તુટી ગઈ છે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સત્તામાં આવેલી સરકારોએ દેશની આર્થિક  સ્થિતી પર ધ્યાન ન આપતા તથા સતત કૌભાંડોના કારણે હાલ આ પરિસ્થિતી સર્જાઈ છે.



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?