એમેઝોન, ટ્વિટર અને મેટા બાદ હવે દિગ્ગજ પેપ્સિકોએ પણ છટણીની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-12-06 16:46:55

દુનિયાભરમાં આર્થિક મંદીનો માહોલ છે. વિશ્વની અગ્રણી આઈ ટી, ઈ કોમર્સ અને રિટેલ સહિતની વિવિધ સર્વિસ સેક્ટરની કંપનીઓ તેમના કર્મચારીઓની છટણી કરી રહી છે. જેમ  કે એમેઝોન, ટ્વિટર અને મેટા બાદ હવે અગ્રણી દિગ્ગજ કંપની પેપ્સિકોના કર્મચારીઓની સંખ્યા ઘટાડવા છટણી કરી રહી છે.


પેપ્સિકોએ કર્મચારીઓને મોકલી નોટિસ


વિશ્વની અગ્રણી ફુડ, સ્નેક્સ અને બેવરીઝ કંપની પેપ્સિકોએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે છટણીની જાહેરાત કરી છે. કંપનીએ કોસ્ટ કટિંગ માટે છટણીનો નિર્ણય કર્યો છે. કંપનીએ પોતાના કર્મચારીઓને મેમો મોકલ્યો હતો. મેમોમાં કહ્યું છે કે  કંપની સંગઠનને સરળ બનાવવા માટે જઈ રહી છે, જેથી આપણે વધુ કુશળતાથી કામ કરી શકીએ. અત્રે ઉલ્લેખનિય છે કે પેપ્સિકોમાં 3 લાખ 9 હજાર કર્મચારીઓ કાર્યરત છે. તેમાંથી અનેક લોકો પર પર છટણીની તલવાર લટકી રહી છે. 


આ કંપનીઓએ પણ કરી છટણી


માઈક્રોસોફ્ટ, ટ્વિટર, એમેઝોન, OYO,ઝોમેટો, મેટા, સિસ્કો, વોલમાર્ટ, ફોર્ડ મોટર્સ, સ્ટ્રાઈપ, ઓન લાઈન ટ્રેડિગ કંપની રોબિનહુડ અને ક્રિપ્ટોકરન્સી કંપની કોઈનબેઝ સહિતની કંપનીઓએ પણ છટણીની પ્રક્રિયા શરૂ કરી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.