દેશભરમાં દરરોજ 450 લોકો કરે છે આત્મહત્યા: NCRB રિપોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 16:55:10

દેશભરમાં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો એટલે કે NCRBની રિપોર્ટમાં આ બાબતનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. વર્ષ 2021માં દેશભરમાં 1.64 લાખથી પણ વધુ લોકોએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું. આ આંકડો વર્ષ 2020ની તુલનામાં 7.2 ટકા વધુ છે. 2020માં 1.53 લોકોએ આત્મહત્યા કરી હતી.


શા માટે લોકો આત્મહત્યા કરે છે?


દેશમાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે, હવે સવાલ એ થાય છે કે લોકો શા માટે આત્મહત્યા કરવા પ્રેરાય છે. નિષ્ણાતોના મતે ડિપ્રેશન, ફેમિલી પ્રોબ્લેમ, બીમારી, લવ અફેયર્સ,દેવુ,બેકારી,ગરીબી,સંપત્તી વિવાદ,પરીક્ષામાં નિષ્ફળતા, નજીકના પરિવારજનની વિદાય સહિતના પરિબળો આત્મહત્યા માટે જવાબદાર છે. 15થી 29 વર્ષની વયના લોકોમાં વધી રહેલું આત્મહત્યાનું પ્રમાણ સૌથી વધુ ચિંતાજનક છે. 


રિપોર્ટની મહત્વની બાબતો

દેશભરમાં સૌથી વધુ આત્મહત્યા મુંબઈ,તમિલનાડુ,મધ્ય પ્રદેશ અને દિલ્લીમાં થાય છે. 

દેશમાં 18થી 30 વર્ષના 56,543 યુવાનોએ આત્મહત્યા કરી હતી, આત્મઘાત કરનારા 24 ટકા 100-12 ધોરણ સુધી ભણ્યા હતા. જ્યારે 11 ટકા અભણ અને 14 ટકા ગૃહિણી હતી,

આત્મહત્યા કરનારા 64 ટકા લોકોની વાર્ષિક આવક 1 લાખથી પણ ઓછી હતી.  



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.