દેશભરમાં દરરોજ 450 લોકો કરે છે આત્મહત્યા: NCRB રિપોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 16:55:10

દેશભરમાં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો એટલે કે NCRBની રિપોર્ટમાં આ બાબતનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. વર્ષ 2021માં દેશભરમાં 1.64 લાખથી પણ વધુ લોકોએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું. આ આંકડો વર્ષ 2020ની તુલનામાં 7.2 ટકા વધુ છે. 2020માં 1.53 લોકોએ આત્મહત્યા કરી હતી.


શા માટે લોકો આત્મહત્યા કરે છે?


દેશમાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે, હવે સવાલ એ થાય છે કે લોકો શા માટે આત્મહત્યા કરવા પ્રેરાય છે. નિષ્ણાતોના મતે ડિપ્રેશન, ફેમિલી પ્રોબ્લેમ, બીમારી, લવ અફેયર્સ,દેવુ,બેકારી,ગરીબી,સંપત્તી વિવાદ,પરીક્ષામાં નિષ્ફળતા, નજીકના પરિવારજનની વિદાય સહિતના પરિબળો આત્મહત્યા માટે જવાબદાર છે. 15થી 29 વર્ષની વયના લોકોમાં વધી રહેલું આત્મહત્યાનું પ્રમાણ સૌથી વધુ ચિંતાજનક છે. 


રિપોર્ટની મહત્વની બાબતો

દેશભરમાં સૌથી વધુ આત્મહત્યા મુંબઈ,તમિલનાડુ,મધ્ય પ્રદેશ અને દિલ્લીમાં થાય છે. 

દેશમાં 18થી 30 વર્ષના 56,543 યુવાનોએ આત્મહત્યા કરી હતી, આત્મઘાત કરનારા 24 ટકા 100-12 ધોરણ સુધી ભણ્યા હતા. જ્યારે 11 ટકા અભણ અને 14 ટકા ગૃહિણી હતી,

આત્મહત્યા કરનારા 64 ટકા લોકોની વાર્ષિક આવક 1 લાખથી પણ ઓછી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે