ઉત્તરાયણ નજીક આવતા દોરીથી કપાઈ રહ્યા છે લોકોના ગળા, 2 ઘટના આવી સામે


  • Published By :
  • Published Date : 2022-12-13 11:37:22

ઉત્તરાયણમાં પતંગની દોરીને કારણે અનેક વખત અકસ્માત સર્જાયા હોય છે. પતંગની દોરી ગળે આવી જતા અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે તો અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હજી ઉત્તરાયણને હજી સમય છે પરંતુ અનેક લોકો અત્યારથી પતંગ ઉડાવી રહ્યા છે. જેને કારણે પતંગની દોરીથી થતા અકસ્માત સામે આવ્યા છે. એક કિસ્સો મહેસાણાના ઉંઝાથી સામે આવ્યો છે જ્યારે બીજી ઘટના સુરતમાં બની છે. 


પતંગની દોરીને કારણે થાય છે અકસ્માત

14 અને 15 જાન્યુઆરીએ ઉત્તરાયણનો પર્વ આપણે ત્યાં મનાવાય છે. આ ઉત્સવ દરમિયાન લોકો પતંગ ચગાવે છે. આ સમય દરમિયાન પતંગની દોરીને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે. અનેક લોકોના જીવ પણ જાય છે. ત્યારે હજી ઉત્તરાયણને મહિના જેટલો સમય બાકી છે પરંતુ અનેક લોકો હમણાંથી જ પતંગ ઉડાવા લાગે છે. જેને કારણે હમણાંથી જ પતંગની દોરીને કારણે અકસ્માત સર્જાવાના શરૂ થઈ ગયા છે. 


સુરત અને મહેસાણામાં બની ગળું કપાવાની ઘટના 

સુરતમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એકવોકેટને પતંગની દારીને કારણે અકસ્માત સર્જાયો છે. ગળું કપાઈ જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહેસાણાના ઉંઝા શહેરમાં ચાઈનીઝ દોરીને કારણે અકસ્માત થયો છે. આ ઘટનામાં પણ યુવકનું ગળું ચાઈનીઝ દોરીથી કપાઈ ગયું છે. આ યુવકને સમયસર સારવાર મળી રહેતા તેનો જીવ બચ્યો છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.