કોરોના સંક્રમણ વચ્ચે શિનજિયાંગમાં આગને કારણે લોકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો


  • Published By :
  • Published Date : 2022-11-27 12:33:07

ચીનમાં કોરોના મહામારી વકરી રહી છે. દરરોજ કોરોના કેસનો આંકડો 30 હજારને પાર પહોંચી રહ્યો છે. વધતા કોરોના સંક્રમણને કારણે સરકાર દ્વારા અનેક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ચીનમાં ઝીરો કોવિડ નીતિ અપનાવામાં આવી રહી છે. જેને કારણે ચીનમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નીતિને કારણે લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા ચીનના પશ્ચિમ ભાગમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી જેને કારણે લોકોનો આક્રોશ વધી ગયો છે. 

चीन में विरोध प्रदर्शन

શિયાળાની શરૂઆત થતાં જ ચીનમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. એકાએક કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે સરકારે કોરોના સંક્રમણ રોકવા અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. સરકારની નીતિને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા. કોરોનાને કારણે લાદેલા પ્રતિબંધોને કારણે લોકોમાં રોષ તો હતો પરંતુ થોડા દિવસો પહેલા ચીનમાં એક એપોર્ટમેન્ટમાં આગ લાગી હતી. જેમાં અંદાજીત 10 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. 

વિશ્વ આરોગ્ય સંસ્થા – WHOની તબીબી નિષ્ણાંતોની ટીમ ચીનમાં કોરોના વાયરસના  રોગચાળાની તપાસ તથા નિયંત્રણ માટે ચીન પહોંચી

એક તરફ કોરોના સંક્રમણને કારણે લગાવેલ લોકડાઉન અને બીજી તરફ આગની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોએ આંદોલનકારીઓને વધારે આક્રોશમાં લાવવાનું કામ કર્યું. કોરોના પ્રતિબંધો હોવા છતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ ઘટનાને કારણે ચીનના શાંઘાઈમાં લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજધાની ઉરૂમકીમાં લોકો ભેગા થયા હતા અને આગની ઘટનામાં મૃત્યુ પામનારની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી હતી. અને લોકડાઉનને હટાવવાના નારા લગાવામાં આવ્યા હતા. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે