પુલવામામાં ટાર્ગેટ કિલિંગ પર ભભૂક્યો લોકોનો રોષ, પૂર્વ મુખ્યમંત્રીએ સરકારને કરી આ રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-02-28 13:48:47

જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યું છે. જેને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ત્યારે પુલવામામાં ટાર્ગેટ કિલીંગ કરવામાં આવ્યું હતું. કાશ્મીરી પંડિત સંજય શર્માના અંતિમ સંસ્કાર સોમવારે કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં પોલિસ અધિકારી તેમજ અનેક નેતાઓ સામેલ થયા હતા. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ સંજય શર્માના પરિવારની મુલાકાત લીધી હતી. આતંકવાદીઓએ સંજય શર્માની હત્યાએ સમયે કરી હતી જ્યારે તેઓ બજારમાં પત્ની સાથે જઈ રહ્યા હતા. 


સરકાર પાસેથી ટ્રાન્સફરની કરી માગ 

આતંકવાદી હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકો આતંકવાદીનો શિકાર બની રહ્યા છે. ત્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિધન થઈ ગયું હતું. આ ઘટના બાદ લોકોનો રોષ સામે આવ્યો હતો. ટ્રાન્સફરની માગ કરવામાં આવી હતી 

संजय शर्मा के हत्या के विरोध में कई कश्मीरी पंडितों ने विरोध प्रदर्शन किया।- फोटो सोशल मीडिया।

સોમવારે કરવામાં આવ્યા હતા અંતિમસંસ્કાર 

આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલીંગ કરવામાં આવી રહી છે. કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે રવિવારે એટીએમમાં સુરક્ષાકર્મીની ફરજ બજાવનાર સંજય શર્માની હત્યા કરવામાં આવી હતી. સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વધતા હુમલાને લઈને કાશ્મીરી પંડિતોએ જમ્મુ કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રધાનમંત્રી પેકેજ અંતર્ગત નોકરી કરી રહેલા કાશ્મીરી પંડિતોની કાશ્મીરમાંથી ટ્રાન્સફર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. પીડીપી પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ સરકાર પર પ્રહાર કર્યા છે. જો આતંકવાદ ખતમ થઈ ગયો છે તો આમને કોણે માર્યા? સરકાર શું કરી રહી છે?   


મહેબુબા મુફ્તીએ આપ્યું નિવેદન 

મહેબુબા મુફ્તીએ કહ્યું કે જે બેરહેમીથી સંજય શર્માની હત્યા થઈ છે તેને લઈ અમે શર્મિંદા છીએ. કાશ્મીરી પંડિતોની મદદ કરવાવાળા મુસ્લિમો સંકટમાં છે. હું સરકારને મૃતકના પત્નીને નોકરી આપવા માટે અપીલ કરું છું. તેમના 3 છોકરા છે અને પ્રત્યેકને 5 લાખ આપવામાં આવે તેવી વાત કહી હતી. તે ઉપરાંત સરકાર પર પ્રહાર કર્યા છે. જો આતંકવાદ ખતમ થઈ ગયો છે તો આમને કોણે માર્યા? સરકાર શું કરી રહી છે?    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.