પુલવામામાં ટાર્ગેટ કિલિંગ પર ભભૂક્યો લોકોનો રોષ, પૂર્વ મુખ્યમંત્રીએ સરકારને કરી આ રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-02-28 13:48:47

જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યું છે. જેને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ત્યારે પુલવામામાં ટાર્ગેટ કિલીંગ કરવામાં આવ્યું હતું. કાશ્મીરી પંડિત સંજય શર્માના અંતિમ સંસ્કાર સોમવારે કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં પોલિસ અધિકારી તેમજ અનેક નેતાઓ સામેલ થયા હતા. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ સંજય શર્માના પરિવારની મુલાકાત લીધી હતી. આતંકવાદીઓએ સંજય શર્માની હત્યાએ સમયે કરી હતી જ્યારે તેઓ બજારમાં પત્ની સાથે જઈ રહ્યા હતા. 


સરકાર પાસેથી ટ્રાન્સફરની કરી માગ 

આતંકવાદી હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકો આતંકવાદીનો શિકાર બની રહ્યા છે. ત્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિધન થઈ ગયું હતું. આ ઘટના બાદ લોકોનો રોષ સામે આવ્યો હતો. ટ્રાન્સફરની માગ કરવામાં આવી હતી 

संजय शर्मा के हत्या के विरोध में कई कश्मीरी पंडितों ने विरोध प्रदर्शन किया।- फोटो सोशल मीडिया।

સોમવારે કરવામાં આવ્યા હતા અંતિમસંસ્કાર 

આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલીંગ કરવામાં આવી રહી છે. કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે રવિવારે એટીએમમાં સુરક્ષાકર્મીની ફરજ બજાવનાર સંજય શર્માની હત્યા કરવામાં આવી હતી. સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વધતા હુમલાને લઈને કાશ્મીરી પંડિતોએ જમ્મુ કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રધાનમંત્રી પેકેજ અંતર્ગત નોકરી કરી રહેલા કાશ્મીરી પંડિતોની કાશ્મીરમાંથી ટ્રાન્સફર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. પીડીપી પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ સરકાર પર પ્રહાર કર્યા છે. જો આતંકવાદ ખતમ થઈ ગયો છે તો આમને કોણે માર્યા? સરકાર શું કરી રહી છે?   


મહેબુબા મુફ્તીએ આપ્યું નિવેદન 

મહેબુબા મુફ્તીએ કહ્યું કે જે બેરહેમીથી સંજય શર્માની હત્યા થઈ છે તેને લઈ અમે શર્મિંદા છીએ. કાશ્મીરી પંડિતોની મદદ કરવાવાળા મુસ્લિમો સંકટમાં છે. હું સરકારને મૃતકના પત્નીને નોકરી આપવા માટે અપીલ કરું છું. તેમના 3 છોકરા છે અને પ્રત્યેકને 5 લાખ આપવામાં આવે તેવી વાત કહી હતી. તે ઉપરાંત સરકાર પર પ્રહાર કર્યા છે. જો આતંકવાદ ખતમ થઈ ગયો છે તો આમને કોણે માર્યા? સરકાર શું કરી રહી છે?    




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!