મણિપુર હિંસાને લઈ દેશના અનેક રાજ્યોમાં લોકોએ નોંધાવ્યો વિરોધ, જુઓ વિરોધમાં નિકળેલી રેલીના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-26 10:17:45

મણિપુરમાં દિવસેને દિવસે હિંસા વધતી ગઈ રહી છે. થોડા દિવસો પહેલા મણિપુરથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બે મહિલાઓને નગ્ન કરી તેમની પર બળાત્કાર ગૂજારવામાં આવ્યો હતો. વીડિયો જૂનો હતો પરંતુ વીડિયો સામે આવ્યા બાદ દેશભરના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. વિપક્ષી પાર્ટી ઉપરાંત લોકોએ માગ કરી હતી કે પીએમ મોદી તેમજ કેન્દ્રીય મંત્રીઓ મૌન તોડે અને મણિપુરને શાંત કરવા કોઈ પગલા લે. સંસદમાં પણ મણિપુરને લઈ હંગામો થઈ રહ્યો છે. અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે મણિપુરમાં થયેલી હિંસાને લઈ દેશના અલગ અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

મણિપુરમાં થયેલી હિંસાના વિરોધમાં નિકળી હતી મોર્ચા રેલી 

છેલ્લા ઘણા મહિનાઓથી મણિપુર ભડકે બળી રહ્યું છે. અનેક લોકોએ આ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. મહિલાઓનો એક વીડિયો સામે આવ્યો હતો જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. સંસદમાં પણ આ મુદ્દો ઉઠ્યો છે. ત્યારે ગઈકાલે દેશના વિવિધ રાજ્યોમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મણિપુર હિંસાના પીડિતોને પુરજોશમાં સમર્થન આપ્યું હતું. મહારાષ્ટ્રમાં તેમજ ગુજરાતમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. 

ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મણિપુરમાં થયેલી હિંસાને લઈ પહેલેથી જ આક્રોશમાં દેખાતા હતા. રવિવારે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે પણ મણિપુરમાં થઈ રહેલી હિંસાને લઈ રેલી નિકાળવામાં આવી હતી. આ મામલે ચૈતર વસાવાએ ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષા કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. મહિલાઓને સુરક્ષા આપવાના બદલે મહિલા સુરક્ષાની માગ કરતા આપ કાર્યકર્તાઓની અટકાયત કરનાર બેશરમ ભાજપ સરકાર થોડી શરમ કરો. 

નોર્થ ઈન્ડિયન સ્ટેટમાં લોકોએ નોંધાવ્યો વિરોધ

મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસાના વિરોધમાં મણિપુર, મિજોરમ, નાગાલેન્ડ સહિત અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મણિપુરમાં આદિવાસી લોકો સાથે થતાં અત્યાચાર વિરૂદ્ધ લોકોએ વિરોધ કર્યો હતો. નોર્થ ઈન્ડિયાના રાજ્યોમાં જનજાતિ સમુદાયે આક્રોશમાં રેલી નિકાળી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.