Thakor સમાજના લોકો Alpesh Thakor પર થયા ગુસ્સે! મહિલાઓ તો જબરજસ્ત બગડી, રોષે ભરાયેલી મહિલાઓએ કહ્યું કે આ બંગડી...


  • Published By :
  • Published Date : 2024-03-08 17:00:16

આશરે એક મહિના પહેલા અમદાવાદમાં 150 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને જેને લઈ હવે તેના પડઘા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પડ્યા છે. જ્યારે ઘર તોડી પાડવામાં આવ્યા ત્યારે સમાજના લોકોને અપેક્ષા હતી કે સત્તા પક્ષ અને એમના સમાજના નેતા અલ્પેશ ઠાકોર એમની મદદ કરે પણ એની જગ્યાએ અલ્પેશ ઠાકોરએ જાહેર મંચ પરથી સમાજના લોકોને સલાહ આપી કે દબાણની જગ્યા ખાલી કરો અને સાથે જ 5 લાખ આપવાની વાત કરી તો હવે સમાજના લોકો બગડ્યા છે.

અલ્પેશ ઠાકોરે પોતાના સમાજના લોકોને આપી હતી સલાહ!

સ્થાનિકોનો ગુસ્સો અલ્પેશ ઠાકોર પ્રત્યે દેખાઈ રહ્યો હતો. ત્યારે મહિલાઓનો એક વીડિયો સામે આવ્યો જેમાં એ અલ્પેશ ઠાકોરને કહે છે કે આ બંગડીઓ તમારા માટે રાખી છે તમે ગદ્દાર છો સાથે જે ભાષા એ વાપરી રહ્યા છે એ અમે વાપરી નહીં શકીએ. જોકે અલ્પેશ ઠાકોર એક કાર્યક્રમમાં હતા તો તેમણે નિવેદન આપ્યું કે સરકારી જમીન પર જે દબાણો હતા તે તોડવામાં આવ્યાં છે. સાથે જ તેમણે સમાજને અપીલ કરી કે, લોકોને સમજાવો કે દબાણ વાળી જગ્યા ખાલી કરે અને આચારસંહિતા લાગશે ત્યારબાદ કોઈ સાંભળશે નહીં. કોઈ આંદોલન કે કોઈ દેખાવ કરવાથી મકાન ન મળે અને આ અંગે વિરોધ ન કરવાની પણ અપીલ કરી હતી.


કઈ ઘટનાને લઈ ફાટી નિકળ્યો હતો લોકોમાં રોષ? 

અમદાવાદના કેશવનગર વિસ્તારની ચાલીમાં ચાલીસ વર્ષ જૂના 150 મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ જ પ્રકારની નોટિસ આપ્યા વિના તોડી પાડવામા આવ્યા હોવાથી સાતસો જેટલા લોકો ઘર વિહોણા બની રસ્તા પર આવી ગયા છે જેને કારણે હાલ ઠાકોર સમાજમાં રોષ છે અને એ લોકોએ કલેક્ટરને પણ રજૂઆત કરી છે ને આગળ શું વિરોધ પણ કરવાના છે તો આ સમસ્યાનો ઉકેલ સરકાર લાવે છે કે નહીં તે જોવાનું રહ્યું



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.