જૂનાગઢના જંગર ગામના લોકો પાણી માટે બે દાયકાથી મારી રહ્યા છે વલખા


  • Published By :
  • Published Date : 2022-11-13 16:20:58

જે ભરોસાની ભાજપના શેરીઓમાં વાહન ચલાવીને ગુણગાન ગવાઈ રહ્યા છે અને સરકારે સંપૂર્ણ ગુજરાતમાં નળથી પાણી આપ્યું છે તેવી જાહેરાત કરી દીધી છે તેની વચ્ચે જૂનાગઢના જંગર ગામના લોકો પાણી માટે બે દાયકાથી વલખા મારી રહ્યા છે. જંગર ગામ નજીક ચાર-ચાર ડેમ હોવા છતાં ગામમાં પાણીના પ્રશ્નો ત્યાંને ત્યાં જ છે. જેના કારણે જંગર ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને કોઈ પણ રાજકીય પાર્ટીઓને ગામમાં ફરકવા નહીં દેવાની ચીમકી ઉચ્ચારી છે. 

કંટાળીને ગામના લોકોએ મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો

પ્રધાનમંત્રીના કાર્યકાળના પહેલાના સમયથી આ લોકો કેનાલ માટે માગ કરી રહ્યા છે. ત્યારબાદ અનેક પાર્ટીઓ આવી મત લઈને જતી પણ રહી, પણ કામ ના થયું. 2009ના સમયમાં કેનાલની મંજૂરી અપાઈ હતી પરંતુ એ પણ આજની પરિસ્થિતિમાં લટકેલી પડી છે. એસ્ટિમેટ અપાઈ ગયું છે છતાં કામગીરી હજુ પણ નથી કરવામાં આવી. અંતે કંટાળીના 2 હજાર ગ્રામજનોએ સાથે મળીને ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.