નડિયાદમાં ઢોરે યુવકને એવો અડફેટે લીધો કે કપડા ફાટી ગયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 17:06:40

STORY BY- સમીર પરમાર


સરકાર અને માલધારીઓ વચ્ચે આજે ભલે સુલેહ થઈ ગઈ પરંતુ સામાન્ય જનતાને તો આજે પણ ધક્કે ચઢીને હેરાન થઈ રહી છે,  તેનું શું? 


ગુજરાતમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટે અનેક ટકોર કર્યા બાદ પણ રખડતા ઢોરના પ્રશ્નથી ગુજરાતને મુક્તિ નથી મળી ત્યારે નવસારીના શારદા મંદિર રોડ પર ઢોરના આતંકથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. 


કેવી રીતે બની હતી ઘટના કે જેમાં યુવકના કપડા પણ ફાટી ગયા?

નડિયાદના શારદા મંદિર રોડ વિસ્તારમાં આજે એક યુવકને રખડતા ઢોરે દોડાવી દોડાવીને હેરાન કરી દીધો હતો. ઢોરથી બચવા માટે યુવક મેદાનમાં પહોંચી ગયા હતો. રોડ પર રખડતા મારકણા ઢોરે મેદાનમાં પહોંચીને પણ યુવકને ઈજાગ્રસ્ત કર્યો હતો. અવારનવાર નડિયાદના શારદા મંદિર રોડ પર વાહનો અને લોકોને મારકણા ઢોરે અડફેટે લીધા છે. સમગ્ર બાબત સામે આવતા ઢોરપાર્ટીવાળા માણસોએ જહેમત બાદ મારકણી ગાયને પાંજરે પૂરી હતી. 




રખડતા ઢોર પ્રશ્ન મામલે ભલે હાઈકોર્ટની ટકોર બાદ પ્રશાસને બે-ચાર દિવસ કામગીરી કરી પરંતુ લોકો હજુ રખડતા ઢોરના ત્રાસથી પીડીત છે. લોકો તો ઠિક મુખ્યમંત્રીના કાફલા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ છોડ્યા નથી. ત્યારે જમાવટ પ્રાર્થના કરે છે કે શાસનને અને પ્રશાસનને સમગ્ર મામલે કામગીરી કરવાની શક્તિ આપે. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.