ધનસુરાના ખિલોડીયા ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી, બેનરમાં લખ્યું રોડ નહીં તો વોટ નહીં


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-07 15:15:37

ગુજરાતમાં આગામી મહિનામાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા ગ્રામ્ય વિસ્તારોના લોકો પોત પોતાના પડતર પ્રશ્નોને લઈ સરકાર તરફ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પોત પોતાની માગણીઓને લઈ સરકાર વિરૂદ્ધ તો બોલી રહ્યા છે પરંતુ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. અરવલ્લીમા ધનસુરાના ખિલોડીયા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા છે.


બેનરો લગાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ઉચ્ચારી ચીમકી  

છેલ્લા ઘણાં સમયથી ધનસુરા તાલુકાના ખીલોડિયા ગામના લોકો સારા રસ્તા માટે તરસી રહ્યા છે. અલ્વાથી ખિલોડીયા સુધી જે રોડ બનાવવામાં આવ્યો છે તેની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તેમની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. જો તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વિધાનસભા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કોઈપણ પાર્ટીને ગામમાં પ્રવેશ આપવામાં નહીં આવે તેવા બેનરો લગાવી દીધા છે. ચૂંટણી નજીક આવતા આવા બેનરો લાગી જવાથી પાર્ટીની ચિંતામાં વધારો થયો છે. 


ચૂંટણી સમયે મતદારો કરી રહ્યા છે પાર્ટીઓની અવગણના 

ચૂંટણી સમયે બેનરો લગાવી લોકો પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરતા હોય છે. જે કામ વર્ષો સુધી ન થયા હોય, જે સમસ્યાનો ઉકેલ નથી આવતો તેવી સમસ્યાનો ઉકેલ ચૂંટણી સમયે આવી જતો હોય છે. પોતાના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા ઉમેદવાર મતદારોના અવાજ નથી સાંભળતા, તો ચૂંટણી સમયે મતદારો ઉમેદવારોની અવગણના કરી રહ્યા છે.     




ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.