ધનસુરાના ખિલોડીયા ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી, બેનરમાં લખ્યું રોડ નહીં તો વોટ નહીં


  • Published By :
  • Published Date : 2022-11-07 15:15:37

ગુજરાતમાં આગામી મહિનામાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા ગ્રામ્ય વિસ્તારોના લોકો પોત પોતાના પડતર પ્રશ્નોને લઈ સરકાર તરફ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પોત પોતાની માગણીઓને લઈ સરકાર વિરૂદ્ધ તો બોલી રહ્યા છે પરંતુ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. અરવલ્લીમા ધનસુરાના ખિલોડીયા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા છે.


બેનરો લગાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ઉચ્ચારી ચીમકી  

છેલ્લા ઘણાં સમયથી ધનસુરા તાલુકાના ખીલોડિયા ગામના લોકો સારા રસ્તા માટે તરસી રહ્યા છે. અલ્વાથી ખિલોડીયા સુધી જે રોડ બનાવવામાં આવ્યો છે તેની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તેમની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. જો તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વિધાનસભા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કોઈપણ પાર્ટીને ગામમાં પ્રવેશ આપવામાં નહીં આવે તેવા બેનરો લગાવી દીધા છે. ચૂંટણી નજીક આવતા આવા બેનરો લાગી જવાથી પાર્ટીની ચિંતામાં વધારો થયો છે. 


ચૂંટણી સમયે મતદારો કરી રહ્યા છે પાર્ટીઓની અવગણના 

ચૂંટણી સમયે બેનરો લગાવી લોકો પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરતા હોય છે. જે કામ વર્ષો સુધી ન થયા હોય, જે સમસ્યાનો ઉકેલ નથી આવતો તેવી સમસ્યાનો ઉકેલ ચૂંટણી સમયે આવી જતો હોય છે. પોતાના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા ઉમેદવાર મતદારોના અવાજ નથી સાંભળતા, તો ચૂંટણી સમયે મતદારો ઉમેદવારોની અવગણના કરી રહ્યા છે.     




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!