રાજસ્થાનના સીકરમાં માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત, ઘટના સ્થળે હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા


  • Published By :
  • Published Date : 2023-01-01 20:58:54

રાજસ્થાનના સીકર જિલ્લામાં એક બેકાબૂ પીકઅપ બોરિંગ મશીનના ટ્રક સાથે અથડાતાં હોબાળો મચી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા અને અડધો ડઝન લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ચાર પુરુષ, ત્રણ મહિલા, એક યુવતી અને એક બાળકનો સમાવેશ થાય છે. ટ્રકને ટક્કર મારતા પહેલા પીકઅપે બાઇકને પણ ટક્કર મારી હતી. અકસ્માતના સમાચાર મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. પોલીસ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે. સીએમ અશોક ગેહલોતે આ ભયાનક અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.


શ્રધ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા


ગમખ્વાર અકસ્માતની આ ઘટના સીકરના ખંડેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પીકઅપમાં સવાર લોકો જયપુરના સમોદ વિસ્તારના રહેવાસી હતા. તે ભગવાન ગણેશના દર્શન કરવા ખંડેલા આવી રહ્યા હતા. દરમિયાન અચાનક જ પીકઅપે બાઇકને ટક્કર મારી હતી. જે બાદ પીકઅપ ચાલકે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ પીકઅપ સામેથી આવતી બોરિંગ મશીન ટ્રક સાથે અથડાઈ હતી. આ અથડામણ બાદ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.


ઘટના સ્થળે હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા


જેણે પણ આ અકસ્માત જોયો તેનું હૃદય હચમચી ગયું. મળતી માહિતી મુજબ, બાઇક પર સવાર પુરુષ અને મહિલાનું મોત પહેલા જ થઇ ગયું હતું. જ્યારે પીકઅપમાં સવાર અન્ય 6 લોકોના પણ ટ્રકની ટક્કરથી મોત થયા હતા. લોકોએ તરત જ પોલીસને જાણ કરી. માહિતી મળતાં જ ખંડેલા અને રણોલી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પોલીસે તમામ ઇજાગ્રસ્તોને પલસાણા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ઇજાગ્રસ્તોને પલસાણાની અન્ય હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ દરમિયાન પોલીસ અધિકારી કુંવર રાષ્ટ્રદીપ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના માટે પીકઅપ ડ્રાઈવરની બેદરકારી હોવાનું સામે આવ્યું છે.


CM અશોક ગેહલોતે દુઃખ વ્યક્ત કર્યું


રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે આ અકસ્માત પર ટ્વીટ કર્યું, 'સીકરના ખંડેલા વિસ્તારમાં પલસાણા-ખંડેલા રોડ પર માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત ખુબ જ દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના, ભગવાન તેમને આ દુખ સહન કરવાની શક્તિ આપે, મૃતકોના આત્માને શાંતિ મળે. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરૂ છું.



જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે