વર્ષ 2022માં નોકરી અને રૂપિયા માટે 3.7 લાખ લોકોએ ભારત છોડ્યું, જાણો તેઓ ક્યાં ગયા?


  • Published By :
  • Published Date : 2023-03-15 19:10:26

ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે, નોકરી, ધંધા કે પછી અન્ય કારણોથી લોકો વિદેશગમન કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે 14 માર્ચે લોકસભામાં આપેલી જાણકારી મુજબ વર્ષ 2022માં ઈમિગ્રેશન એક્ટ, 1983 હેઠળ 3,73,434 ભારતીયોને ઈમિગ્રેશન ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું, જેમાંથી 10,654 પંજાબના હતા.


પંજાબમાં વિદેશગમનનો ક્રેઝ?


સંસદના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન શિરોમણી અકાલી દળ (SAD)ના સાંસદ હરસિમરત કૌર બાદલના એક પ્રશ્નના જવાબમાં, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે વર્ષ 2022માં અખિલ ભારતીય સ્તરે કુલ 3,73,434 ઈમિગ્રેશન ક્લિયરન્સ જારી કરવામાં આવ્યા હતા, જેમાં માત્ર પંજાબમાંથી 10,654 ક્લિયરન્સ આપવામાં આવ્યા છે.


કયા દેશો છે હોટ ફેવરીટ?


ભારતીય નાગરિકો મુખ્યત્વે રોજગારી માટે પરદેશમાં સ્થાયી થતાં હોય છે. દુનિયાના આ 18 દેશો જેવા કે સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા, કતાર, ઓમાન, કુવૈત, બહેરીન, મલેશિયા, લિબિયા, જોર્ડન, યમન, સુદાન, દક્ષિણ સુદાન, અફઘાનિસ્તાન, ઇન્ડોનેશિયા, સીરિયા, લેબનોન અને થાઇલેન્ડ ભારતીયોમાં હોટ ફેવરીટ છે.


5 વર્ષમાં 8 લાખ લોકોએ મેળવી વિદેશી નાગરિકતા 


સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ 2015 અને 2020 વચ્ચે એટલે કે 5 વર્ષની વચ્ચે આઠ લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી. જો કે વર્ષ 2020માં આ આંકડામાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તેનું કારણ કોરોના મહામારી હોવાનું માનવામાં આવે છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ 2021માં 163,370 ભારતીયોએ દેશની નાગરિકતા છોડી દીધી હતી. સંસદમાં કહેવામાં આવ્યું હતું કે આ લોકોએ આવો નિર્ણય "વ્યક્તિગત કારણોસર" લીધો હતો. અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ એટલે કે 78,284 લોકોએ અમેરિકન નાગરિકતા માટે ભારતીય નાગરિકતા છોડી દીધી. તે જ વર્ષે ઓસ્ટ્રેલિયામાં 23,533 લોકોએ પોતાનું નવું જીવન શરૂ કર્યું અને 21,597 લોકોએ કેનેડાની નાગરિકતા મેળવી છે.




જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે