Diwaliને લઈ ગુગલમાં વિશ્વભરના લોકોએ સર્ચ કર્યા આ 5 પ્રશ્નો! Sundar Pichaiએ માહિતી આપતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-11-15 08:55:02

દિવાળીના પર્વની ધામધૂમથી આપણે સૌએ ઉજવણી કરી. નવા વર્ષની પણ શુભકામના એકબીજાને પાઠવી. પરંતુ દિવાળી શા માટે ઉજવાય છે, દિવાળીના દિવસો દરમિયાન રંગોળી કેમ કરવામાં આવે છે સહિતના વિવિધ પ્રશ્નોના જવાબ કદાચ આપણે નહીં જાણતા હોઈએ. દિવાળી દરમિયાન લક્ષ્મી પૂજન કેમ કરવામાં આવે છે, દિવા શા માટે કરવામાં આવે છે, ભારતીયો શા માટે દિવાળી તહેવારની ઉજવણી કરે છે વગેરે વગેરે.. દિવાળી તહેવારને લગતા પ્રશ્નો લોકોએ ગુગલમાં સર્ચ કર્યા છે તેવી માહિતી ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. એક જીઆઈએફ તેમણે શેર કરી છે જેમાં દિવાળીના સમય દરમિયાન ગુગલ પર ક્યા પ્રશ્નો સર્ચ કર્યા તેની માહિતી આપી છે. 

લોકો હવે સવાલ ગુગલને પૂછતા થઈ ગયા છે!

આપણે તહેવારની ઉજવણી તો કરતા હોઈએ છીએ પરંતુ તહેવાર શા માટે આપણે મનાઈએ છીએ તેની જાણ મોટા ભાગના લોકોને નથી હોતી. તહેવાર ઉજવવા પાછળનું કારણ પહેલા આપણે વડીલોને પૂછતા હતા, પરંતુ હવે આ કામ પણ ગુગલ કરી રહ્યું છે. તહેવારને લગતી, ઉપરાંત તહેવાર દરમિયાન કરવામાં આવતી વિધી, નિયમોની જાણકારી આપણને આપણા વડીલો જણાવતા હતા, તહેવારની પાછળ રહેલી પૌરાણીક કથાઓ બા-દાદા કહેતા હતા, પરંતુ હવે જમાનો બદલાયો છે. લોકો વડીલોને પૂછવા કરતા આવા પ્રશ્નો ગુગલને પૂછે છે.! આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ એક જાણકારી શેર કરી છે જેમાં દિવાળીના સમયે લોકો ગુગલ પર સૌથી વધારે કયા પ્રશ્નો સર્ચ કર્યા છે. 


દિવાળીને લગતા ક્યા પ્રશ્નો વિશે લોકોએ ગુગલ પર જાણકારી મેળવી? 

સૌશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક જીઆઈએફ તેમણે શેર કરી છે જેમાં લોકોએ દિવાળીને લઈ વિશ્વભરના લોકોએ ક્યા પ્રશ્નો સર્ચ કર્યા છે તેની માહિતી આપી છે. પાંચ પ્રશ્નોનું લિસ્ટ શેર કરવામાં આવ્યું છે જેમાં લોકોએ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ભારતીયો દિવાળી શા માટે ઉજવે છે? દિવાળીમાં રંગોળી શા માટે કરવામાં આવે છે? દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા શા માટે કરવામાં આવે છે? દીવડાઓ શા માટે પ્રજવલીત કરવામાં આવે છે? તેલનું મહત્વ શું છે?  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!