મોડાસાના શામપુર દાવલીમાં પથ્થર ક્વોરીથી લોકો પરેશાન, વિસ્ફોટોના કારણે ઘરોમાં પડી તિરાડો


  • Published By :
  • Published Date : 2023-01-17 17:20:15

જોશીમઠની પરિસ્થિતિ દિવસને દિવસે વણસી રહી છે. અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા શામપુર દાવલીની હાલત પણ જોશીમઠ જેવી થઈ જશે તેવો ભય ત્યાંના લોકોને સતાવી રહ્યો છે. કારણકે દાવલીના ડુંગર ઉપર પથ્થરની ક્વોરી કરવામાં આવી રહી છે. ડુંગર ઉપર થતા બ્લાસ્ટને કારણે આજૂબાજૂના મકાનોમાં તિરાડો પડી રહી છે. ક્વોરી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

 

પથ્થર ક્વોરીથી સ્થાનિકોને પડતી મુશ્કેલી 

મોડાસાના શામપુર દાવલીમાં ક્વોરીમાંના પથ્થરો તોડવામાં આવી રહ્યા છે. ક્વોરી તોડવા ધડાકા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે શામપુર તથા દાવલી ગ્રુપ પંચાયતની હદ ડુંગરની તળેટીમાં રમેશસિંહ અને ભીખુસિંહ ચૌહાણ ક્વોરી બનાવી ખનીજ સંપત્તિનો નિકાસ કરવામાં આવી રહ્યો છે. પથ્થર તોડવા બ્લાસ્ટ કરવામાં આવે છે જેને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. 

ઘરમાં તિરાડો અને પાકને પહોંચે છે નુકસાન 

સ્થાનિકોના જણાવ્યા મુજબ 24 કલાક બ્લાસ્ટ થતા રહે છે જેને કારણે પારાવાર મુશ્કેલી પડે છે. જમીનમાંથી ઓવર લોડિગ ભારે વાહનોથી કરાય છે. પંચાયત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે છતાંય વાહનો પસાર થઈ રહ્યા છે. ગાડીઓ દ્વારા ધૂળ પણ ઉડે છે જેને કારણે પાકને નુકસાન પહોંચે છે.  


હિન્દુ યુવા વાહિનીના સભ્યોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર   

દાવલી પંચાયતની હદ વિસ્તારમાં ઐતિહાસિક ધરોહર પણ આવેલી છે. આ ડુંગર ઉપર મહાભારત કાળથી મેરાયું આવેલું છે. ધરોહર નજીક રાત-દિવસ ક્વોરી ચાલી રહી છે જેને કારણે ધરોહરને પણ નુકસાન પહોંચી શકે છે. સતત ધડાકા થવાને કારણે ઘરોમાં અનેક તિરાડો પણ પડી ગઈ છે. ત્યારે આ જગ્યાની પરિસ્થિતિ જોશીમઠ જેવી ન થાય તેને ધ્યાનમાં રાખી હિન્દુ યુવા વાહિનીના સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પત્ર લખી વિનંતી કરવામાં આવી હતી કે ભૂમાફિયા દ્વારા ખોટી માહિતી આપવામાં આવી છે. આ જમીન તંત્રને છેતરીને લીધેલી તમામ પ્રકારની મંજૂરી રદ્દ થાય અને સ્થાનિકોને ન્યાય મળે તેવી વિનંતી કરવામાં આવી હતી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.