અમદાવાદમાં સર્જાયેલા અકસ્માતમાંથી પણ લોકો ન શીખ્યા! જૂનાગઢની એ ઘટના જે તમારા રૂંવાડા ઉભા કરી દેશે, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-24 11:29:12

ગુજરાત એસટી બસનું સ્લોગન છે કે સલામત સવારી એસટી અમારી. પરંતુ આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જે એસટી બસના સ્લોગનને ખોટા સાબિત કરી દે છે. કોઈ વખત એસટી બસના ડ્રાઈવરો ઓવરસ્પીડ કરતા દેખાય છે તો કોઈ વખત નશાની હાલતમાં એસટી બસના ડ્રાઈવરો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જૂનાગઢનો હોવાનો મનાઈ રહ્યો છે. જૂનાગઢમાં એક તરફ વરસાદનો પ્રકોપ હતો તો બીજી તરફ એસટી બસની અડફેટે અનેક લોકો આવી ગયા હતા.  

પાણીમાં ફસાયેલી એમ્બ્યુલન્સની મદદે ઉભા હતા લોકો 

જે વીડિયો સામે આવ્યા છે તે માટે કહેવાઈ રહ્યું છે કે જૂનાગઢમાં ST બસના ડ્રાઈવરે રસ્તા પર ઉભેલા 2 લોકોને કચડી નાખ્યા. શનિવારે એક તરફ પૂરનો પ્રકોપ હતો, જેમાં એક એમ્બ્યુલન્સ બંધ પડી ગઈ હતી. બંધ પડેલી એમ્બ્યુલન્સની મદદ કરવા બે ત્રણ લોકો ત્યાં આવ્યા હતા. ત્યારે જ એક ST બસ આવી અને બસ ચાલવાને કારણે પાણીનો માર્ગ અવરોધાયો હતો. બસના ધક્કાથી પાણી હાલક-ડોલક થયું હતું. પાણી ભરેલા રોડ પર બે-ત્રણ લોકો સામે હોવા છતાં બસ ડ્રાઈવરે ઘોર બેદરકારીથી બસ હંકારી અને પરિણામે બે લોકોના જીવ જોખમમાં મૂકાયા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 


જૂનાગઢમાં એસટી બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી

એ વીડિયો એકદમ હચમચાવી દે તેવો છે. આ અંગે મળતી માહિતી અનુસાર આ ઘટના વાડલા ફાટક પાસેનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં એસટી બસની અટફેટે આવતા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જીંદગી અને મોત વચ્ચે લોકો ઝોલા ખાઈ રહ્યા છે. વીડિયોમાં દેખાય છે કે કઈ રીતે બે લોકો બસના આગળના ભાગ અને પાછળના ભાગમાં ટકરાઈને વહેણમાં વહી રહ્યા છે. તેમ છતાં બસના એ નિર્દયી ડ્રાઈવરે બસ ચલાવવાની ચાલું જ રાખી. 


શા માટે ST વિભાગે આવી પૂર જેવી પરિસ્થિતિમાં ચાલું રાખી સેવા?

આ જોરદાર પ્રવાહમાં તણાયેલી બંને વ્યક્તિઓ માટે ઝાડ સહારો બન્યું અને જીવ બચી ગયો હતો. બીજા પાસામાં જોઈએ તો એવી વાત પણ સામે આવી છે કે બસ વાળો ઊભો રાખે તો એના પેસેન્જરને નુકસાન થાય એમ હતું અને જેવી પરિસ્થિતિ હતી તેમ ઊભું રાખવું પોસિબલ ન હતું. પણ મોટો સવાલ એ છે કે ST બસને આટલા પાણીમાં ઉતારી જ શા માટે? થોડા વરસાદમાં પાણીનું બહાનું કાઢીને નાના-નાના ગામોના રૂટ બંધ કરી દેનાર ST તંત્રએ આવી ગફલતભરી હિંમત કેમ કરી? મહત્વનું છે કે અમદાવાદમાં બનેલી ઘટના હજી લોકો ભૂલ્યા નથી ત્યારે આવા અકસ્માતોને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!