પાણી માટે વલખા મારતી પ્રજા, Surendranagarના ગ્રામ્ય વિસ્તારોમાં 40 દિવસથી પાણી નથી, વિરોધ કર્યો તો 2 કલાક આપ્યું, કાયમી ઉકેલ ક્યારે?


  • Published By :
  • Published Date : 2024-05-29 17:00:23

રાજ્યમાં પ્રાથમિક સુવિધાઓ મેળવવી દરેક નાગરિકનો અધિકાર છે એ સુવિધાઓ માટે જો 40 દિવસ સુધી વલખા મારવા પડે તો પ્રશાસન પર ધિક્કાર છે... સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં અનેક ગામના લોકો 40 દિવસથી મામલતદાર કચેરી પર બેઠા છે... અનેક રજૂઆતો બાદ પણ પ્રશાસનના પેટનું પાણી નથી હલતું... ત્યાંના આગેવાનની બાઈટ સામે આવી છે જેમાં તે કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરી રહ્યાં છીએ... હવે બહેનો અહીંયા બેઠી છે... પાણી તો આવતું નથી.. તો ઘરે જઈને કરશું શું.. એટલે ત્યાં જ બેસી રહેવાનો નિર્ધાર કર્યો છે.. 

મામલતદાર કચેરી પહોંચ્યા હતા લોકો અને કરી ઉગ્ર રજૂઆત 

ઉનાળાના સમયમાં પાણી ના મળે તો? આપણે ત્યાં જો અડઘો કલાક પાણી ના આવે તો પણ આપણને નથી ચાલતું પરંતુ તમે કલ્પના કરો કે તમારા ઘરે અનેક દિવસો સુધી પાણી ના આવે તો? વિચારીને જ થાય કે પાણી ના આવે તો કેવી રીતે ચાલે? ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ગામ ખાતે તાલુકાના જૂની મોરવાડ ,નવી મોરવાડ, જોબાળા વગેરે ચુડા તાલુકાના ગામોમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ છે. પાણીની વિકટ પરિસ્થિતિ લઈને સ્થાનિકો ચુડા મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી.. તાત્કાલિક અસરથી પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી લાગણીને માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.... 


જો અત્યારે ઉકેલ નહીં આવે તો... 

રાતના અંધારામાં અને દિવસના ભયંકર તડકાના ત્રાસમાં પણ પ્રશાસનના દરવાજે બેઠા છે એક આશાથી કે તેમની રજૂઆતો કોઈ સાંભળશે....થોડા દિવસ પહેલાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જ્યારે કલેક્ટર ઓફિસ પર આ મહિલાઓએ સવારથી સાંજ સુધી મોરચો માંડ્યો તો બધાને ઘરે મોકલીને પાણી ચાલુ કરાયું માત્ર 1 કે બે કલાક માટે... કેમ કે એસી ચેમ્બરમાં બેસેલા લોકોને ખબર હતી કે જો અત્યારે આ ઉકેલ નહીં આવે તો લોકો અહીંયાથી નહીં જાય... એટલે ટેમ્પરરી સોલ્યુશન આપીને ખુશી માની લીધી... કાયમી ઉકેલ હજુ સુધી નથી આવ્યો... આ લોકો આજે પણ પાણી માટે રાહ નથી જોઈ રહ્યાં વલખા મારી રહ્યાં છે... 


40 દિવસથી પાણી માટે વલખા મારતા લોકોને પાણી મળે તેવી આશા

લોકોને શું આમ જ પોતાની જરુરિયાતો માટે વિરોધ કરતા રહેવાનો છે... આંદોલનો કરતા રહેવાના છે...એ પણ નેશનલ હાઈવેને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં... એક ગામમાં પાણી આવે અને બીજા ગામડાઓમાં ન આવે.....જનતાના એ જનપ્રતિનીધીઓ ક્યાં છે...મત લેવા માટે તો એક એક ઘરે જાવ છો... તો શું કલેક્ટર ઓફિસમાં વિરોધ કરતા આ લોકો નથી દેખાતા.... કે દરેક વખતે હાલશે એ લોકો તો વિરોધ કરે આમ જ હોય આ જ નીતિ અપનાવવાની છે તમારે.... અમારી આશા એટલી જ છે કે 40 દિવસ પાણી વગર ટળવળતી જનતાને પાણી મળે... અને તેમને ન્યાય મળે.... 



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.