આ પાંચ દેશોથી આવતા લોકોને કરાવો પડશે RT-PCR Test, ભારત સરકારે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-24 13:30:55

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં તેમજ વિશ્વમાં કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણ વધતા ભારત સરકાર એક્ટિવ થઈ ગઈ છે. ભારતમાં કોરોનાને લઈ સ્થિતિ વણસે તે પહેલા કોરોનાને કાબુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારત સરકારે વિદેશથી આવતા લોકો માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. મનસુખ માંડવિયાએ જાણકારી આપતા કહ્યું કે આ ચીન, જાપાન, સાઉથ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.


આ દેશોથી આવતા લોકોને કરાવો પડશે ટેસ્ટ 

ચીન, જાપાન, અમેરિકા જેવા દેશોમાં કોરોનાની સ્થિતિ એકદમ ખરાબ બની રહી છે. ભારતમાં કોરોનાને લઈ સ્થિતિ ખરાબ ન થાય તે પહેલા ભારત સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. મનસુખ માંડવિયાએ શનિવારે કહ્યું હતું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા લોકો માટે કોરોના રિપોર્ટ કરાવો ફરજીયાત કરવામાં આવ્યો છે. આ દેશોમાંથી આવતા લોકો જો કોરોના સંક્રમિત હશે તો તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. અગમચેતીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.             

  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.