સોશિયલ મીડિયા પર લોકોએ રાહુલ ગાંધી વતી પૂછ્યા પ્રશ્ન! લોકોએ પૂછ્યું કયા આધારે અડવાણી, જોશી, માયાવતીને ફળવાયા સરકારી બંગલા?


  • Published By :
  • Published Date : 2023-04-24 13:01:47

રાહુલ ગાંધીનું સાંસદ પદ મોદી સરનેમને લઈ આપેલા નિવેદન પર કોર્ટ દ્વારા મળેલી સજા બાદ રદ્દ કરવામાં આવ્યું હતું. સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. સરકારી બંગલો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. ત્યારે રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો ટ્વિટ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહરજોષી, માયાવતી અને ગુલામ નબી આઝાદ પાસે કોઈ પણ પદ ન હોવા છતાંય કેવી રીતે સરકારી આવાસમાં રહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવા પ્રશ્નો યુઝર્સ પૂછી રહ્યા છે.    


સરકારી બંગલો ખાલી કરવા રાહુલ ગાંધીને અપાઈ હતી નોટિસ! 

2019માં રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ સુરતની સેશન્સ કોર્ટમાં આ નિર્ણય પર સ્ટે મૂકવા માટે અરજી કરી હતી. કોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી અને રાહુલ ગાંધીની સજા યથાવત રહી હતી. સાંસદ પદ તેમનું રદ્દ થયું હતું અને સરકારી બંગલો પણ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. 



રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા મળી હતી નોટિસ!

જે બાદ થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર આ વાતને લઈ લોકો અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહરજોશી, માયાવતી, પૂર્વ કોંગ્રેસના નેતા ગુલામ નબીને સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે. જ્યારે તેઓ કોઈ પણ સદનના સભ્ય નથી. તો કયા આધારે સરકારી મકાનોમાં રહે છે. સાંસદ પદ ન હોવા છતાંય સરકારી બંગલામાં રહે છે. જ્યારે રાહુલ ગાંધીને એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. 


કયા આધારે આ નેતાઓને ફળવાયા છે સરકારી બંગલા - યુઝર્સના સવાલો? 

સોશિયલ મીડિયા પર યુઝર્સ આ અંગે ટ્વીટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે શું સરકારી ઘર ખાલી કરવાનો નિયમ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને જ લાગુ પડે છે? આ નિયમો અડવાણીજી, મુરલી મનોહર જોશીજી, માયાવતીજી, ગુલામ નબીજીને કેમ લાગુ નથી પડતા? તો કોઈએ લખ્યું કે અડવાણી, મુરલી મનોહર જોષી અને ગુલામ નબી આઝાદ ક્યાંના સાંસદો છે કે તેમને કેબિનેટમંત્રીના સ્તરનું આવાસ મળ્યું? તેમના ખાતામાં 15 લાખ રુપિયા આવી ગયા લાગે છે. સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે કયા આધારે અડવાણીજી, મુરલી મનોહર જોષીજી, ગુલામ નબી આઝાદજી, માયાવતીજીને આ ઘર ફાળવવામાં આવ્યું છે?   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!