ગુજરાતના અધિકારીના નિર્ણયને લોકોએ ભરપેટ વખાણ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 20:56:49

કહેવામાં આવે છે મોટા અધિકારીઓ પ્રેરણાના સ્ત્રોત હોય છે. લાખો લોકો તેમના જીવનના સંઘર્ષમાંથી પ્રેરણા લેતા હોય છે. તેવામાં દાહોદના ડીડીઓના નિર્ણયની ગુજરાતભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. દાહોદના આદિવાસી ક્ષેત્રોમાં તેમના નિર્ણયથી પ્રેરણા લેવાઈ રહી છે. 


DDOએ દિકરાને સરકારી આંગણવાડીમાં મૂક્યો  

દાહોદ જિલ્લાના વિકાસ અધિકારી નેહાકુમારીએ પોતાના પુત્રને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને પણ નવી દિશા મળશે અને ગુજરાતના લોકોને પણ એક સકારાત્મક સંદેશ મળશે. ગુજરાત તો ઠીક દેશમાં પણ એવું ઓછું જોવા મળે છે કે ક્લાસ વન અધિકારીઓના છોકરાઓ સરકારી શાળા કે આંગણવાડીમાં ભણતા હોય. દાહોદ વિસ્તારમાં આદિવાસી લોકોનું પ્રમાણ વધારે છે. આદિવાસી લોકોએ કુદરત બાજુ વધુ અને આધુનિક જીવન તરફ દૂર રહેતા હોય છે. તેવામાં દાહોદના જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયથી તેમને પણ પ્રેરણા મળશે. 


લોકોને પ્રેરણા મળે તે માટે નિર્ણય લીધો

દાહોદ જિલ્લામાં આદિવાસી લોકોની સંખ્યા વધારે છે. તેમને શિક્ષણ મળે અને તેઓ શિક્ષણ તરફ વળે તેના માટે આ નિર્ણય લીધો હતો. અધિકારીએ દિકરાને આંગણવાડીમાં મૂક્યો છે તેમાં તેમનું માનવું છે કે બીજા લોકોને પણ સરકારી શિક્ષણ તરફ વિશ્વાસ વધશે. 





એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.